SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. પત્ર પાથેય પ. પૂ. આ. શ્રી વિક્રમસૂરીશ્વરજીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી રાજયશવિજયજીએ ‘પત્ર પાથેય’ પુસ્તકનું સર્જન કરીને જૈન પત્ર સાહિત્યમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. શ્રાવકોમાં ધર્મમાર્ગે પ્રગતિ થાય, આત્મજાગૃતિ આવે તેવા શુભ હેતુથી પત્રો લખાયા હતા. પત્રો દ્વારા આત્માને પોષક ભાથું મળે છે પણ સમસ્ત જૈન સમાજને આ ભાથું મળે તે માટે ‘પત્ર પાથેય’ નામથી વ્યક્તિગત લખાયેલા પત્રો જનસમૂહના માટે પ્રગટ કરવામાં આવ્યા છે. પત્ર દ્વારા શ્રાવકોને ધર્મપ્રેરણા ક૨વાની સહજ વૃત્તિ પ્રગટ થઈ હતી તે આ પુસ્તક દ્વારા પૂર્ણ થઈ છે. ‘પત્ર પાથેય’ માં ૧૯ પત્રો છે. તેમાં જૈન ધર્મના વિવિધ પર્વોનો પરિચય મળે છે. તેનો આરંભ દીપમાલિકા પર્વ એટલે ભગવાન મહાવીર સ્વામી મોક્ષે સિધાયા અને ગૌતમ સ્વામીજીને કેવળજ્ઞાન થયું ત્યારથી માંડીને જ્ઞાન પંચમી, કાર્તિક પૂર્ણિમા, મોન એકાદશી, પોષ દશમી, ફાગણ ચાતુર્માસ, વર્ષીતપનો પ્રારંભ, સિદ્ધચક્ર, મહાવીર જન્મ કલ્યાણક, ભારત વર્ષનું પ્રથમદાન, ત્રિજગતગુરૂ શાસનાય નમો નમ:, ગુરૂદેવો ભવ, પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી, પૂ. આ. શ્રી આત્મરામજી, પૂ. મહિમાવિજયજી, ધર્મરાજ ચાતુર્માસ તસ્મૈ શ્રી ગુરવે નમઃ (આ. લબ્ધિસૂરિ), અપ્રતિમ સેવાભાવી જયંતસૂરીશ્વરજી, આત્મામાં નિવાસ ક૨વાનું પર્વ વગેરે પત્રોનો સંચય થયો છે. પર્વનો મહિમા દર્શાવતા પત્રોની સાથે ગુરૂભક્તિ નિમિત્તે પણ પત્રો લખાયા છે જેમાં એમના વ્યક્તિત્વનો પરિચય થાય છે. જૈન-જૈનેત્ત૨ સમાજમાં પણ ગુરૂનો મહિમા અપં૨ા૨ છે. તીર્થંકર ભગવંતની ગેરહાજરીમાં ગુરૂ શાસનને ચલાવે શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ Jain Education International ૨૬૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy