SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ અપાય ? આપણા બાપને વિકૃતરૂપે રજૂ કરી પ્રસિદ્ધ કરે, એથી ખુશી થવાનું હોય કે નાખુશ ? માટે ગુણવંતને સમજાવજે ને કહેજે ભગવાનની અને જૈનધર્મની સેવા કરવાને માટે તમે સારૂં ઘણું કરી શકો છો, તો એ જ કરો. જૈનધર્મનો ટકાવ અને પ્રચાર તો જૈનધર્મના ચુસ્ત આચારો પળાય તથા એના સિદ્ધાંતોની રક્ષા થાય એના ૫૨ છે. આજ સુધી એ જ રીતે જૈનધર્મ અણિશુદ્ધ ટકી આવ્યો છે. આચાર અને સિદ્ધાંતમાં ઘાલમેલ થવાથી કેટલાક ધર્મો ઉડી ગયા અને કેટલાક નામમાત્રથી જીવે છે. એ જ સાંવત્સરિક ક્ષમાપના... ઉસમાનપુરા - ૧૯૭૩. ૧૪. ધાર્મિક શિક્ષણ અભ્યાસક્રમ મધ્ય પ્રદેશ માટેનો અભ્યાસક્રમ જોયો. એમાં – ૧) મોક્ષમાર્ગ : અર્થાત્ માર્ગદર્શન, દેશવિરતિ, સર્વવિરતિમાર્ગનું શિક્ષણ ઉમેરવું જરૂરી છે. ૨) પ્રથમ વર્ષમાં પંચ પરમેષ્ઠીની ઓળખ, ૨૪ જિનના નામ, અરિહંત-સિદ્ધ વચ્ચે તફાવત, નવકારમંત્રનો પ્રભાવ, ગુરૂવંદન સૂત્ર તથા જૈનધર્મ પામ્યાની વિશેષતા અને ગૌરવ આટલું ઉમે૨વું જોઈએ. ૩) રજા ૩જા વર્ષમાં આશ્રવ-સંવ૨-નિર્જરાના ભેદોનું શિક્ષણ ઉમેરાય. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ Jain Education International ૨૨૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy