SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ' પ્રવૃત્તિમાં નષ્ટ ન થવા દઈશ. આવા સપુરૂષાર્થકાળનો નાશ એ મહાગુનો છે. એની સજા ફરીથી તેવા પુરૂષાર્થકાળને પ્રગટ કરવાની નાલાયકતા છે અને અધમ પુરૂષાર્થના સંયોગ-પરિસ્થિતિની પ્રચુરતા છે. ખૂબ વિચારતો રહી આત્મોદયના માર્ગે દોડતા વેગે સંચર, એ શુભેચ્છા. જાવાલ (સિરોહી) વાયા તા. ૩-૭-૬૩ - આ ૧૩. આચાર-સિદ્ધાંતના ઘાલમેળથી ધર્મનાશ આ સાથે પેમ્ફલેટ જોવા મોકલ્યું છે, એમાં ગુણવંતની સહી છે, એટલે ગુણવંતને શાંતિથી સમજાવવાની જરૂર છે, કે સરકારી સ્તર પર થનારી ઉજવણીમાં જે કાર્યક્રમ બહાર પાડ્યો છે, એ જોતાં એમાં ખાસ જૈનધર્મના પ્રચાર જેવું કાંઈ નથી. વનસ્થળી, પાઈપલાઈન, બાલકેન્દ્ર એ કાંઈ જૈન ધર્મને મહત્ત્વ આપનારી ચીજ નથી. વળી, આધુનિક ભૌતિકવાદથી અંજાઈ ગયેલ અને પશ્ચિમી સંસ્કૃતિના હિમાયતી લોકો જે સાહિત્ય લખશે, એમાં મહાવીર ભગવાને આચારાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, ભગવતી સૂત્ર વગેરેમાં ઉપદેશેલ ત્યાગ, વૈરાગ્ય, સંયમ, તપ, બ્રહ્મચર્ય ઈત્યાદિને મહત્ત્વ આપવાને બદલે ભળતી અહિંસાની વાતો, ભૌતિક વિષયોના રાગને પોષક પ્રતિપાદન વગેરે કરશે. સાથે, મહાવીર ભગવાનની પરમાત્મા તરીકેની શાસ્ત્ર કહેલી ખાસ વિશિષ્ટતાઓને તદ્દન વિસારી દેવામાં આવશે. સારાંશ, આ ઉજવણીમાં કશું મોહવા જેવું નથી. લોકમાં જૈનધર્મ તરીકે કશી પ્રભાવના થાય, એમ નથી. ઉલ્ટે જૈનધર્મ અને મહાવીર ભગવાનને વિકૃતરૂપે ચિતરવામાં આવશે. એને સમર્થન કર 2 શ્રી જૈન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ક (૨૨૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy