SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જોવા મળે છે. અને શંકા થાય છે કે શું કરવા યોગ્ય છે? કરવા યોગ્ય નથી ? જે આચરણમાં રાગદ્વેષ ન હોય, અને શુદ્ધ કેવળજ્ઞાન હોય તો તે આચરણ પ્રમાણભૂત છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધના માટે લીન થવું જોઈએ જેનું અંતઃકરણ પવિત્ર છે. તે વ્યક્તિ સ્વયં શિવસ્વરૂપ છે. તેનો આચાર અનુકરણ કરવા યોગ્ય છે. આચાર શુદ્ધિ માટે સાધકે મિથ્યાત્વ અને અવિરતિનો ત્યાગ કરવો જોઈએ. અધ્યાય - ૧૯ તપોબળથી આત્મા-પરમાત્મા પદ પ્રાપ્તિ શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે ઐશ્વર્યશાળી પરમાત્મા મળે એવો ઉપાય બતાવો અને પરમ તત્ત્વનો પ્રકાશ કેવી રીતે થાય છે ? - શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે આત્મા ચિદાનંદમય જ્યોતિ તત્ત્વરૂપ છે અને તે સ્વરૂપ તપના બળથી પ્રગટે છે. આ જ્યોતિ સંસારમાં મિથ્યાત્વ અને મોહરૂપી અંધકારનો નાશ કરનારી છે. વળી તે જગતમાં પ્રકાશ કરવાવાળી શક્તિ રૂપે છે. તપના પ્રભાવથી જીવોને આત્મસિદ્ધિ અને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. બાહ્ય તપથી કાયાની શુદ્ધિ વિનય યુક્ત વ્યવહારથી વચન શુદ્ધિ અને સ્વાધ્યાયથી મનની શુદ્ધિ થાય છે. આ ત્રણ શુદ્ધિથી આત્માની શુદ્ધિ થાય છે. આવા આત્મ તત્ત્વના જ્ઞાન માટે નવતત્ત્વનું વિધાન કરવામાં આવ્યું છે. તેના જ્ઞાનથી આત્મ તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. માયાથી મુક્ત થયેલો આત્મા પરમાત્મા છે. આવી સ્થિતિ પામવા માટે ક્રમશઃ ભક્તિ ભાવમાં તન્મય બનીને પરમેશ્વરનું ધ્યાન ધરવું જોઈએ તો તેનાથી આત્મા પ્રભુમય બને છે. ધ્યાનનો પ્રારંભ ચિત્તની એકાગ્રતાથી થાય છે. અને રૂપાતીત ધ્યાનમાં આરોહણ થવાથી ધ્યાતા અને ધ્યેય એકરૂપ બને છે અને કષાયો પર વિજય મેળવાય છે. આવા આચરણના પ્રભાવથી ભોગોનું અધ:પતન થાય છે. મન, વચન અને કાયાથી વિષયનો ત્યાગ કરીને આરાધના કરવા વાળો મોક્ષ પદનો અધિકારી બને છે. સમ્યકજ્ઞાની ધર્મના આચરણથી ઊર્ધ્વગતિ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy