SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કરીને તેની ઉપાસના કરવી જોઈએ. આવી ઉપાસના એ વીતરાગનો માર્ગ છે. આત્માના ગુણોના વિકાસથી અને નિર્મળ ચિત્તથી સ્વયં આત્માને જાણી શકાય છે. આત્માથી આત્માને ઓળખે છે. અર્થાત્ સત્ ચિત્ આનંદની સ્થિતિ પ્રાપ્ત થાય છે. સાધનાનો હેતુ આવી સ્થિતિ પ્રાપ્ત કરવાનો છે. અધ્યાય ૧૨ ચંદ્ર ગતિ સાથે મનની ગતિનો સંબંધ ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે ભગવાન ! ચંદ્રની ગતિથી જયોતિષ શાસ્ત્રને આધારે ભવિષ્યની આગાહી કરવામાં આવે છે તો આ ભવિષ્ય મનથી કેવી રીતે જાણી શકાય છે ? - શ્રી ભગવાને રૂપકના માધ્યમથી ઉત્તર આપ્યો કે જેવી રીતે સૂર્યોદયથી કમળ ખીલે છે તેવી રીતે જ્ઞાનસૂર્યના પ્રકાશથી મનની બુદ્ધિરૂપી કળા વિકસિત થાય છે. મનની કળા ૬૦ છે અને વર્ષ પણ ૬૦ પ્રકારનાં છે. વ્યક્તિમાં સૂર્યનો પ્રભાવ ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં પ્રત્યક્ષ રીતે જોવા મળે છે. જયારે આપણે પ્રવૃત્તિશીલ હોઈએ છીએ ત્યારે આપણું મન ઉત્તરાયણ છે અને નિદ્રાવસ્થામાં ચિત્ત દક્ષિણાયન હોય છે. મનની વિવિધ અવસ્થાઓ શરીરમાં ઋતુચક્રની સ્થિતિ જણાવે છે. અધર્મ ભાવના મનની રાત્રિ છે. ધર્મ ભાવના - શુદ્ધ વિચારો મનનો દિવસ છે. આવી રીતે ગ્રહો અને રાશિઓ પણ શરીર અને મનની ગતિ સાથે સંબંધ ધરાવે છે. શુભાશુભ ભાવનાઓના પ્રતીકરૂપે શુકલ પક્ષ અને કૃષ્ણપક્ષ છે. આ રીતે મનની સ્થિતિ, ગ્રહો અને યોગોથી તાત્કાલિક કાર્યમાં કાળને અનુસરીને નિર્ણય કરવો જોઈએ. અધ્યાય ૧૩ મનમાં કાળચક્રનું નિરૂપણ ગૌતમસ્વામીએ ભગવાનને કહ્યું કે ચંદ્રકળા મનમાં પ્રકાશ કરે છે તો તેની સ્થિતિ સ્થાન સાથેનો સંબંધ સમજાવો. શ્રી ભગવાને જવાબ આપ્યો કે પડવાથી (પ્રતિપદા) પ્રારંભ કરીને Jain Education International - For Private & Personal Use Only ૩૯ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy