SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર શુદ્ધિ કે જીવન શુદ્ધિ વગર ધર્મ માર્ગમાં કોઈ પ્રગતિ થઈ શકતી નથી. રાગ દ્વેષનો ત્યાગ એ જ મોટામાં મોટો ધર્મ છે એમ અર્હદ્ ગીતા અને અન્ય ગીતાઓમાંથી સારરૂપે વિચાર પ્રાપ્ત થાય છે. ધર્મ દ્વારા “૩ાર વરિતાનામતુ વસુધૈવ ટુંમ્ની ભાવના વિકસિત થાય તે માટે ગીતાની વિચારધારા કાર્યરત છે એમ જાણીને આ ગીતાઓનું અધ્યયન ને અધ્યાપન સ્વ-પરના કલ્યાણમાં સહયોગ આપે આત્મા વિશે આગમ ગ્રંથોથી પ્રારંભ કરીને પૂર્વાચાર્યો અને અન્ય વિદ્વાનોએ પોતાની આગવી શૈલીમાં ગદ્ય-પદ્ય કૃતિઓનું સર્જન કરીને ભવ્યાત્માઓને મૂળસ્વરૂપ પ્રાપ્તિ માટે અવિરત પ્રયત્નો ચાલુ રાખવાની પ્રેરણા આપી છે. એવા જ એક મહાન યોગી આનંદઘનજીની વિચાર સૃષ્ટિમાં પણ આત્મા વિશેના - અધ્યાત્મના વિચારોની પ્રેરક સામગ્રી રહેલી છે. પૂ. શ્રીના શ્રેયાંસનાથના સ્તવનમાં તેનો ઉલ્લેખ મળી આવે છે. આ પંક્તિઓ નિત્ય સ્વાધ્યાય કરવા યોગ્ય છે અને ગીતાના વિચારોની સાથે સામ્ય ધરાવે છે એટલે વિશેષ નોંધ તરીકે અત્રે પ્રગટ કરવામાં આવી છે. સયલ સંસારી ઈન્દ્રિયરામી મુનિગણ આતમરામીરે, મુખ્ય પણે જે આતમ રામી, તે કેવલ નિષ્કામી રે. શ્રી શ્રે. ૨ નિજસ્વરૂપ જે કિરિયા સાથે તેહ અધ્યાતમ લહીએ રે જે કિરિયા કરી ચઉગતિ સાધે તે ન અધ્યાતમ કહીએ રે. શ્રી શ્રે. ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ ઇંડો રે ભાવ અધ્યાતમ નિજગુણ સાધે તો તેહશું રઢ મંડો રે. શ્રી. છે. ૪ મારા અલ્પ જ્ઞાનને કારણે ગીતા કાવ્યોના અર્થઘટનમાં શાસ્ત્ર વિરૂદ્ધ લખાયું હોય તો તે માટે ત્રિવિધ મિચ્છામિ દુક્કડ પાઠવું છું. જૈન ગીતા કાવ્યો જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને સમજવા માટેનું આધારભૂત સાધન છે તેનો વિશેષ ઉપયોગ કરીને માનવ જન્મમાં પ્રાપ્ત કરવા લાયક સત્જ્ઞાન મેળવીને ધર્મ ને મોક્ષ પુરૂષાર્થની સાધનામાં પ્રવૃત્ત થવા માટેનો સૌ કોઈ રાજમાર્ગ નિહાળીને જન્મ સફળ કરે એવી અભ્યર્થના સહ વિરમું છું. મારા સંપાદકીય નિવેદનના અંતમાં એનું એક વાકય આ ગ્રંથ વિશે નોંધપાત્ર બની શકે તેમ લાગે છે. ગીતા એટલે અધ્યાત્મ વિદ્યાનો અનુપમ, અદ્વિતીય અને અલૌકિક ગ્રંથ છે કે જેમાં માનવજન્મની સાર્થકતાનું પરમ ઈષ્ટ લક્ષ મોક્ષ છે તેનું સ્વરૂપ જાણવાનું એક આધારભૂત સાધન છે અને તે સ્વરૂપ જાણ્યા પછી તેની પ્રાપ્તિ માટે પુરૂષાર્થ દ્વારા સિદ્ધિ મળે તે વાત સર્વ સ્વીકૃત છે. - ડૉ. કવિન શાહ ૨૨ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy