SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સર્જક પૂ.શ્રી મુનિભગવંતોની સંક્ષિપ્ત માહિતી આપી છે. ધાર્મિક સાહિત્ય ભૌતિક જીવનના આનંદનું નિરૂપણ હોવા છતાં તેમાં કેન્દ્ર સ્થાને તો સર્વોચ્ચ કક્ષાનો અદ્વિતીય અને શાશ્વત આધ્યાત્મિક આનંદ રહેલો છે. ધાર્મિક સાહિત્યની આ મહાન ઉપલબ્ધિ છે. વળી તેના દ્વારા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના દિવ્ય જ્યોતિસ્વરૂપ વારસાનું અનુસંધાન થયું છે જે વર્તમાન અને ભવિષ્યની પેઢીને જીવન ઊર્ધ્વગામી બનાવવા માટે ભવ્યાતિભવ્ય વારસો પૂરો પાડે છે. આ વિધાન પણ ગીતા કાવ્યોના જ્ઞાન માર્ગના સંદર્ભમાં સ્વીકારવું જોઈએ. જીવમાત્ર આત્માના સહજ સુખને પ્રાપ્ત કરે અને ભવભ્રમણમાંથી મુક્તિ મેળવે એવી ઉદાર ભાવના સાકાર બને તે માટે જૈન ગીતા કાવ્યોની વિચારસમૃદ્ધિ અનન્ય પ્રેરક બને તેવી છે. જૈન દર્શનના અભ્યાસનો વ્યાપ વધે તે માટે આ ગીતા કાવ્ય નમૂનારૂપ બનશે એવી શ્રદ્ધા છે. કૌટુંબિક પરંપરાથી નવી પેઢીના વારસદારો જૈન ક્રિયાકાંડ કરે છે પણ તેના હાર્દને સમજવા ગીતામાં વ્યક્ત થયેલા વિચારોનું સહ્દય અધ્યયન કરે તો જૈનત્વના સાચા વારસદાર બની શકાય. નામથી જૈન કહેવાતા લોકો આચારથી જૈન બનીને આત્મકલ્યાણ કરી શકે તે માટે ગીતાની વિશાળ વિચાર સૃષ્ટિ આત્મખોજની નવી દૃષ્ટિ ઉઘાડીને જીવન સાફલ્યનું ટાણું આવ્યું છે એમ માનીને સન્માર્ગે જવા ફરજ પાડે છે. ગીતાનું સંગીત જીવનના તાણાવાણાને એકરૂપ બનાવીને હૃદયના તારમાંથી અનહદનો નાદ પ્રગટે અને ‘અહં બ્રહ્માસ્મિ' તત્ ત્વમસિ, નો સાક્ષાર થાય એવી અલૌકિક યૌગિક અનુભૂતિ થાય એવી અનુપમ શક્તિ ગીતા કાવ્યોમાં રહેલી છે. આત્મશ્રેયાર્થના દૃષ્ટિબિન્દુ તેનો અભ્યાસ અવશ્ય દિવ્યાનુભૂતિમાં મહત્વની ભૂમિકા પૂરી પાડશે એવી અભિલાષા રાખું છું. ભારતમાં વિવિધ ધર્મો, પંથો, મતો અને સંપ્રદાયોની વિપુલ સંખ્યા છે. પ્રત્યેક મતની અલગ વિચારધારા, ક્રિયાકાંડ વગેરે વિવિધ સ્થળોએ ચાલતી હોય છે આ ધાર્મિક માન્યતાઓમાં સંઘર્ષ પણ થાય છે પરિણામે ધર્મ દ્વારા સામાજિક અને રાષ્ટ્રીય શાંતિ ને સુવ્યવસ્થા સ્થાપવાના પ્રયત્નોમાં નિષ્ફળતા મળી છે. સરકારી સૂત્રધારો વારંવાર ધાર્મિક ને રાષ્ટ્રીય એકતા વિશે જાહેરમાં નિવેદન કરે છે. ધાર્મિક સહિષ્ણુતા વગર આ શકય નથી. ધર્મઝનૂનનો ત્યાગ કરીને રાષ્ટ્રમાં શાંતિ યથાવત્ રહે તો જ ધર્મની આરાધના શકય છે. ધર્મ આત્મસાધના માટે છે તે માટે સર્વધર્મ સમભાવ કેળવાય તેવી રીતે યશોવિજયજી ઉપા. અને આ. બુદ્ધિસાગરસૂરિની ગીતા અને એનું અર્થઘટન વર્તમાન પરિસ્થિતિમાં જૈન-જૈનેતર વર્ગને માટે માર્ગસૂચક બને છે. Jain Education International For Private & Personal Use Only ૨૧ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy