SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અને ખરેખર એ પ્રમાણે જ બને છે. લગ્નના જમણવાર માટે વાડામાં પૂરવામાં આવેલાં પશુઓની ચીસો સાંભળીને અનુકંપાશીલ નેમિકુમારનું હૃદય દ્રવે છે. લગ્નના મંડપેથી જ તેઓ પાછા ફરી જાય છે. એથી તત્કાલ શારીરિક અને માનસિક આઘાત અનુભવતી રાજુલની દશા વર્ણવતાં કવિ લખે છે : રાજુલ તતખણી પડી ધરતી, સહિયર સવિ મિલી હા હા કરતી; ચંદન છાંટિનિ કરી બિઠી, વલી વલી દુઃખની પૂર પઈઠી. વસ્તુતઃ રાજુલનો કંઈ વાંક નથી. એણે કોઈ ભૂલ કરી નથી. એટલે જ એ કડક શબ્દોમાં નેમિકુંવરને ઉપાલંભ આપતી બોલે છે : નિષ્ઠુર નાહ ન કીજીઈ, એમ વિસાસીઘાત; કો ન કરિ તિમ કીધું તે, જગ લગિ રહસ્યઈ વાત. વિણ અવગુણ હું છંડી, મંડી અવરસ્યું પ્રીતિ; છેહ દીનિ ચટાકિની, એ સી ઉત્તમ રીતિ ? ભગ્નહૃદય રાજુલની દયનીય દશાનું તાદશ ચિત્ર દોરતાં કવિ લખે છે : ભૂષણ પરિહરિ, હાર ત્રોડિ, ઢોલઈ ચંદન, અંગ ચોડઈ, જક નહીં જીવનિ, ફિરિ રોતી, ખિણ ખિણ નેમિની વાટ જોતી. સ્ત્રીના જીવનમાં કંથનું પાસે હોવું તે કેટલું બધું મહત્ત્વનું છે તે તો વિરહના સમયે જ વધુ સમજાય છે. પોતાના અંગત સંવેદનોનું ત્યારે સહજ રીતે જ સાધારણીકરણ થઈ જાય છે. અહીં પણ રાજુલ કહે છે : કંત વિના સ્યું જીવવું, કંત વિના સ્યો જંગ ? કંત વિના ત્યાં ભૂષણ, કંત વિના સ્યો રંગ ? કંત વિના ત્યાં મંદિર, કંત વિના સી સેજ ? કંત વિના ત્યાં ભોજન, કંત વિના ત્યાં હેજ ? Jain Education International રાજુલના આક્રંદનું ભાવવાહી નિરૂપણ કરતી વખતે કવિ રાજુલ દ્વારા આપણી કુટુંબભાવના પણ વ્યક્ત કરે છે એ આ ફાગુકાવ્યની એક વિશિષ્ટતા છે. લગ્ન એટલે આમ તો યુવક-યુવતીનો સંબંધ. એમાં યુવતી મુખ્યત્વે પોતાના ભાવિ પતિનો વિચાર કરે છે. પરંતુ ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં કન્યાનો સમગ્ર કુટુંબ સાથે જ સંબંધ બંધાય છે. એટલે રાજિમતી માત્ર પોતાના વિયોગના દુ:ખને જ રડતી નથી, પણ For Private & Personal Use Only ૨૩૭ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy