SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ આવી છે. આ કૃતિને હસ્તપ્રતોમાં ‘ભ્રમરગીત” અથવા “ભ્રમરગીતા સ્તવન' તરીકે ઓળખાવવામાં આવી છે. શ્રી વિનયવિજયજીએ પોતે પણ આરંભમાં આ કૃતિને ભ્રમરગીત તરીકે જ ઓળખાવી છે. મુનિમનપંકજભમરલ, ભવભયભેદણહાર; ભમરગોત ટોડર કરી, પૂજું બંધ મુરારિ. ભ્રમરગીત અથવા ભ્રમરગીતા નામના કાવ્યપ્રકારનાં મૂળ ઠેઠ ભાગવત પુરાણમાં જોવા મળે છે. શ્યામવર્ણવાળા, છ પગવાળા, એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર ફરનારા, મકરંદ ચૂસનારા ભ્રમરનું પ્રતીક રસિક અને કવિઓને ગમી જાય એવું છે. સંદેશવાહક તરીકે પણ તે ઉપયોગી છે. વળી ભ્રમર દ્વારા અન્યને ઉપાલંભ અપાય છે. એ રીતે ભ્રમરગીતા અન્યોક્તિના પ્રકારનું કાવ્ય બની શકે છે. ગોપીઓ પોતાની વિરહવ્યથા ભ્રમર આગળ વ્યક્ત કરતી હોવાથી એવા પ્રકારની રચના ભ્રમરગીત કે ભ્રમરગીતા તરીકે ઓળખાય છે. આ રીતે ભ્રમરગીતામાં ઉપાલંભયુક્ત સંદેશ વ્યક્ત કરાય છે. શ્રીકૃષ્ણ શ્યામ છે અને ઉદ્ધવ પણ શ્યામ છે. એમનો શ્યામ વર્ણ ભ્રમરને મળતો છે. એટલે ઉદ્ધવ-ગોપી સંવાદના પ્રકારની રચનાઓ પણ આ વર્ગમાં આવે છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં બ્રહદેવ, ચતુર્ભુજ, કેશવરામ, વિશ્વનાથ, પ્રેમાનંદ, પુરુષોત્તમ, સુંદરસુત વગેરે કવિઓએ “ભ્રમરગીતા'ના પ્રકારની કૃતિઓની રચના કરી છે. ભ્રમરગીતા, આમ વૈષ્ણવ કવિઓનો વિષય રહ્યો છે. જૈન કવિએ ભ્રમરગીતા લખી હોય એવી આ વિનયવિજયજીની કૃતિ છે, પરંતુ એમાં વિષય વસ્તુતઃ નેમિનાથનો લેવાયો છે. નેમિનાથ ભ્રમરગીતા' નામના આ ફાગુકાવ્યમાં નથી ‘બ્રમરગીતાને ફાગુકાવ્યના પ્રકાર તરીકે ગણાવી શકાય એમ છે, કારણકે એની રચના દૂહા, ફાગ અને છંદની કડીઓમાં કરવામાં આવી છે. એમાં જે રીતે કથાનકના એક ખંડનું, પ્રકૃતિવર્ણન, છંદવૈવિધ્ય ઇત્યાદિ સહિત નિરૂપણ કરવામાં આવ્યું છે તે જોતાં પંડિત યુગના ખંડકાવ્યની યાદ અપાવે એવું આ કાવ્ય છે. શ્રી વિનયવિજયજીનું આ કાવ્ય વૈષ્ણવ ભક્તિકાવ્ય નથી, પરંતુ જૈન પૌરાણિક કથા-પરંપરા અનુસાર ફાગ-સ્તુતિના પ્રકારનું કાવ્ય છે. જૈન પરંપરા પ્રમાણે શ્રીકૃષ્ણ નેમિનાથના પિતરાઈ ભાઈ હતા. એટલે કવિએ આરંભમાં જ યાદવકુલ અને મુરારિનો સંદર્ભ આપી દીધો છે. “યાદવ કુલ શિણગાર”, “બંધુ મુરારિ', અને “મુનિપદ પંકજ ભમરલ' જેવા શબ્દ પ્રયોજી કવિએ ભ્રમરગીતાની હવા ઊભી કરી છે. ૩૯ કડીના આ ફાગુકાવ્યનો પ્રારંભ કવિએ નેમિનાથ ભગવાનને અને સરસ્વતી દેવીને નમસ્કાર કરીને કર્યો છે. સમુદ્રવિજય રાજાના પુત્ર નેમિકુમારની ૨૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy