SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શુભશીલ ગણિએ શ્રી રામકથા અથવા જૈન ગીતા શબ્દ પ્રયોગ કરીને રામચંદ્રજીનું વિસ્તૃત જીવન ચરિત્ર વર્ણવ્યું છે. આ ચરિત્રનું પ્રયોજન એ છે કે રામચંદ્રજી ત્રણ ક્રોડ મુનિવરો સાથે સિદ્ધિગિરિ ઉપર સિદ્ધિ પદને પામ્યા છે. તેના દ્વારા સિદ્ધગિરિનો અચિંત્ય ચિંતામણિ સમાન મહિમા પ્રગટ થયો છે. રામચંદ્રજીનું ચરિત્ર ભારતીય સમાજમાં અતિ લોકપ્રિય છે. ચરિત્રાત્મક ગીતાનો નિષ્કર્ષ એ સિદ્ધગિરિ ઉપર ત્રિકરણ યોગે આરાધના કરતાં આ ભૂમિના શુચિ પુદ્ગલોનો પ્રભાવ પડતાં મન વચન અને કાયાની શુદ્ધિ થતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. તે રીતે વિચારતાં ચરિત્રાત્મક ગીતામાંથી તત્ત્વનો ઉપરોક્ત સંદર્ભ પ્રાપ્ત થાય છે. ૧. શ્રી રામકથા-જૈન ગીતા સામાન્ય રીતે ગીતા નામથી પ્રસિદ્ધ કાવ્યો દર્શનશાસ્ત્રના વિચારોને સ્પર્શ છે. જૈન ગીતા કાવ્યોમાં જૈન ધર્મના તાત્વિક વિષયો, નવતત્ત્વ, નવપદ, સર્વ વિરતિ, સમકિત, આત્માની મુક્તિ, મોક્ષ પ્રાપ્તિ, અનેકાન્તવાદ વગેરેના વિચારો વ્યક્ત થયા છે. અપવાદરૂપ ગણાય તેવી શુભાશીલ ગણિની રામચરિત્ર શ્રી જૈનગીતા એવા નામથી ઉપલબ્ધ થાય છે. તપાગચ્છાધિપતિ ધર્મઘોષસૂરિજીએ શત્રુજય કલ્પની કુલ ૩૯ શ્લોકો પ્રમાણ પ્રાકૃત ભાષામાં રચના કરી હતી. આ ગ્રંથના શ્લોકો સંખ્યાની દૃષ્ટિએ ઓછા છે પણ તેમાં શત્રુંજયનો રહસ્યની વિગતોનો સંચય થયો છે. આ લઘુ ગ્રંથ રચના સમુદ્રસમાન અગાધ જ્ઞાનનો ખજાનો છે. આ ગ્રંથનું શ્રી શુભશીલગણિએ ૧૪૨ ૨૪ શ્લોકો પ્રમાણ સંસ્કૃત ભાષામાં ટીકા સંવત ૧૫૧૮ એટલે કે આજથી પ૩૭ વર્ષ પહેલાં રચના કરી હતી. જૈન કથા સાહિત્યમાં શુભ શીલ ગણિનું નામ પ્રથમ કક્ષાનું છે. એમણે ગીતા શબ્દ પ્રયોગ કરીને શ્રી રામચંદ્રજીનું ચરિત્ર વર્ણવ્યું છે. રામચંદ્રજીના જીવનના વિવિધ પ્રસંગોનું આલેખન કરીને ભારતીય સંસ્કૃતિના એક મહાન મહાત્માનો ભવ્યોદાત્ત પરિચય કરાવ્યો છે. એટલે આ ગીતા ચરિત્રાત્મક છે. જૈન ગીતા કાવ્યોમાં આ કૃતિ નમૂનેદાર છે. તેની કેટલીક વિગતો અત્રે નોંધવામાં આવી છે. ગીતાને અંતે નીચે પ્રમાણે નોંધ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે વિસ્તારથી મોક્ષને આપનારું રામચરિત્ર પોતાના હિતને ઇચ્છનારા ભવ્યજીવોએ વિસ્તારથી પદ્મચરિત્રમાંથી જાણવું. તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સરખા શ્રી મુનિ સુંદરસૂરિના શુભશીલ નામના શિષ્ય આ કથાનક કર્યું બનાવ્યું) (પા.૨૯૪) ૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy