SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપનિષ ભા-ર જીવન જીવવાના બે પ્રકાર છે, ભૌતિક અને આધ્યાત્મિક, ભૌતિક જીવન ગમે તેટલી વખત જીવીએ છતાં પૌદ્ગલિક સુખોના રાગને કારણે જન્મ-જરા અને મરણમાંથી મુક્તિ મળતી નથી. આ પ્રકારનું જીવન અનંતવાર મેળવ્યા છતાં કોઈ ઉદ્ધાર થયો નથી ત્યારે અધ્યાત્મ જીવન શૈલી એજ આત્માને ઉપકારક પોષક અને માર્ગદર્શક નીવડે છે. ગમે તેટલું સુખ હોય તો તે સુખ માત્ર સુખાભાસ છે. આત્મદર્શન વિના સર્વપ્રકારની કહેવાતી ભૌતિક સામગ્રી નિષ્ફળ છે. આત્માર્થી જનોને માટે અધ્યાત્મ જીવન શૈલી જેવો અનન્ય આનંદ અને અદ્વિતીય અનુભવ બીજો કોઈ નથી. પૂ. ઉપા. યશોવિજયજીએ અધ્યાત્મ વિષયના વિસ્તૃત વિચારોને પ્રગટ કરતા ત્રણ ગ્રંથો રચ્યા છે. અધ્યાત્મ મત પરીક્ષા, અધ્યાત્મ સાર અને અધ્યાત્મ ઉપનિષદ્ર અધ્યાત્મમત પરીક્ષામાં ચાર નિક્ષેપથી અધ્યાત્મવાદનો પરિચય કરાવ્યો છે. અધ્યાત્મ સારમાં ભાવ અધ્યાત્મ વિશેના વિચારો છે. જ્યારે અધ્યાત્મ ઉપનિષમાં જ્ઞાન અને ક્રિયાના સમન્વય દ્વારા મુક્તિમાર્ગના યાત્રીને મહાન ઉપકારક સમત્વ પ્રાપ્ત થાય છે તે વિશે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ચાર વિભાગ છે (૧) શાસ્ત્ર યોગ શુદ્ધિ (૨) જ્ઞાન યોગ શુદ્ધિ (૩) ક્રિયાયોગ શુદ્ધિ (૪) સામ્યયોગ શુદ્ધિ. પ્રથમ વિભાગમાં અધ્યાત્મની વ્યાખ્યા વ્યવહાર અને નિશ્ચય નયથી દર્શાવી છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ, પંચાચારનું પાલન આત્માને કેન્દ્રમાં રાખીને કરવું. મનની શુદ્ધિ, શાસ્ત્ર પરીક્ષા વિશે જૈન અને જૈનેતર સંદર્ભો (શાસ્ત્રીય) દર્શાવીને સ્વાદ્વાદ શૈલીનો અનોખો પરિચય કરાવ્યો છે. શાસ્ત્ર પરીક્ષામાંથી પસાર થયા પછી જ્ઞાનમાર્ગમાં પ્રયાણ કરવા માટેનું દિશાસૂચન જ્ઞાનયોગમાં છે. આત્મતત્ત્વની વિશેષ ઉપલબ્ધિ માટે જ્ઞાન યોગનું મહત્વ છે. શાસ્ત્રાભ્યાસ અધ્યાત્મ-આત્મલક્ષી બને તો જ્ઞાનયોગ સફળ થાય. યોગીઓની સિદ્ધ દશા અને સાધ્યમાન દશા ઉપરાંત અનુભવદશા વિશે માહિતી આપવામાં આવી છે. ક્રિયાયોગની અનિવાર્ય આવશ્યકતા છે. તીર્થકર ભગવંતને કેવળજ્ઞાન થાય છતાં વિરતિધર તરીકે ગામાનુગામ વિહાર કરે છે, ભાવ હોય એટલે ક્રિયાની જરૂર નથી આ મત યથાર્થ નથી. ક્રિયા એ ભાવનું નિમિત્ત છે. ક્રિયા વગરનું જ્ઞાન નિષ્ફળ છે. ક્રિયાયોગ વિશેના વિવિધ વિચારોના સમન્વયવાદી દૃષ્ટિકોણથી પરિચય કરાવ્યો ૨૦૦| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy