SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ્ય છે. દર્શન શાસ્ત્રના વિચારોનું સ્વરૂપ સહજ સાધ્ય નથી. જ્ઞાન માર્ગની જટિલતા દૂર કરવાનો પુરૂષાર્થ થાય તો ભક્તિ કરતાં પણ વિશેષ ગતિથી આત્માની પ્રગતિ થાય તેમાં કોઈ શંકા નથી. કવિની ગીતા કાવ્યની રચના વિશે પણ કેટલીક મહત્વની લાક્ષણિક્તાઓ જણાઈ આવે છે. પ્રત્યેક અધ્યયનના આરંભ કે અંતમાં કોઈને કોઈ રીતે ‘જૈન’ શબ્દ પ્રયોગ કરીને તેનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે. ઉદા. જૈનઃ સાવ નિન શાસ્ત્ર થરેઃ પ્રમીત: (પા. ૬) નૈન:સ્યાત્ પાપમીહસ્તત ફદ્દ મનુતે પાપ મુક્તાન મુનીશાન્ । (પા.૧૭) જ્ઞાતિ જૈનત્વ મનુત્તર તદ્ । (પા. ૨૩) मत्वेति पुण्यपथमृत्तु भवे સ જૈનઃ । (પા. ૩૨) જૈનો શ્વ: વૃક્ષેત્રનુ સવા મોક્ષાય સંવેગ ભામ્ । (પા. ૫૬) કવિ તરીકેની વિશેષતામાં એમનું વૃત્તવૈવિધ્ય પણ નોંધપાત્ર છે. અનુષ્ટુપ, વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત, મન્દાક્રાંતા, ભુજંગપ્રયાત્, વંશસ્થ ત્રોટક, ધ્રુતવિલંબિત વગેરે છંદોનો પ્રયોગ કર્યો છે. તેમાં અનુષ્ટુપનો વધુ પ્રયોગ જોવા મળે છે. પૂ. સાગરાનંદસૂરીશ્વરજી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. એમની ગુજરાતી કૃતિઓ જેટલી લોકભોગ્ય છે તેટલી સંસ્કૃત કૃતિઓ નથી પણ આ કૃતિઓ એમના પાંડિત્ય અને જ્ઞાનરસિકતાને કારણે અહોભાવપૂર્વક પઠન-પાઠન માટે આવકારદાયક બની છે. ઈશ્વરલાલજીની ગીતામાં જૈન દર્શનના સિદ્ધાંતોનો સમાવેશ થયો છે. કવિની જ્ઞાનોપાસના અનુમોદનીય અને અનુકરણીય છે. જ્ઞાન વગર સિદ્ધિ નથી એમ કહીએ ત્યારે એટલું નિશ્ચિત છે કે તત્ત્વ દર્શનના સિદ્ધાંતો આત્મસાત્ કર્યા વગર ભવ ભ્રમણ અટકે નહિ. એમ કહેવાય કે ગીતા સાહિત્યના સારભૂત તત્ત્વ તરીકે જ્ઞાનમાર્ગની ઉપાસના દ્વારા આત્માની મૂળ સ્થિતિ કે અસલ સ્વરૂપ સિદ્ધ-બુદ્ધ ચિદાનંદ થવા માટેનો રાજમાર્ગ પ્રાપ્ત થાય છે. જૈન ગીતા એ સિદ્ધિનું સોપાન છે. કવિની સંધિ સમાસ યુક્ત શૈલી દુર્બોધ છે છતાં જ્ઞાન માર્ગનો પુરૂષાર્થ નિષ્ફળ નીવડે તેમ નથી. લક્ષ્મી અને સરસ્વતી સહજ પ્રાપ્ત થતી નથી તે માટે અથાક્ પરિશ્રમ આવશ્યક છે એટલે શૈલીની જટિલતાને દૂર કરવાથી જ્ઞાનપ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only ૧૫૩ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy