SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલું છે. રાગદ્વેષ રહિત આત્મા સ્વાનુભવ સ્થિતિએ પહોંચે છે. સાતમી ભૂમિકામાં આત્માનું શુધ્ધ ચારિત્ર છે. અપ્રમત્ત ભાવમાં રહીને આરાધના કરે છે. નિર્વિકલ્પ ધર્મ ધ્યાનમાં લીન બને છે. આઠમી ભૂમિકામાં આત્મા શુદ્ધ ઉપયોગથી શુકલ ધ્યાનમાં એકરૂપ બનીને ચારિત્રની આરાધનાથી ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શનના શુદ્ધ પર્યાયોને ઉપજાવે છે. પછી આવો આત્મા મોક્ષે જાય છે. ચોથી ભૂમિકામાં ગુરુકૃપા અને ભેદ જ્ઞાનથી આત્મા અપુર્નબંધક સમ્યક્દર્શનની સ્થિતિમાં હોય છે. સાતમી ભૂમિકાએ પહોંચેલો આત્મા અપ્રમત્ત ગુણ સ્થાનકનો કહેવાય છે જ્યાં સુધી અપ્રમત્ત દશાવાળું શુદ્ધચારિત્ર પ્રાપ્ત ન થાય ત્યાં લગી શુધ્ધ પ્રેમ વર્તે છે. તેની ઉપર અપૂર્વ કરણરૂપ પૂર્ણ આત્મિક શુદ્ધતા પ્રાપ્ત થતાં પરિણામે આત્મ શુધ્ધતા જાગતાં આત્મા કેવળજ્ઞાન યોગને પ્રાપ્ત કરે છે અને તેથી તેવો આત્મા દેવ-મનુષ્યાદિથી પૂજય તીર્થ સ્વરૂપ પ્રેમયોગી બને છે. કવિએ પ્રેમના વિશ્લેષણમાં લોકદષ્ટિ કે વ્યવહારની સાથે આત્મસિદ્ધિના આધારરૂપ માર્ગદર્શક વિચારો પણ વ્યક્ત કર્યા છે. ગીતાને અનુરૂપ રહસ્યમય - તત્ત્વદર્શી વિચારોથી આ ગીતા સમૃદ્ધ છે. શુદ્ધ પ્રેમથી જ સર્વ પ્રાણીઓમાં પોતાના સરખી ગણના હોય છે. શુદ્ધ પ્રેમથી જ પરમાત્માનું પ્રાગટય થાય છે. પ્રેમમાં દાસત્વ કે મોટાઈ, રાગદ્વેષ, સંકલ્પ, વિકલ્પ નથી હોતા. મંત્રના સંદર્ભમાં પ્રેમ વિશે કવિ જણાવે છે કે – ॐकार: सर्व वर्णेषु प्रेम रुपोऽस्ति सर्वथा । ही श्री क्ी मंत्र वर्णास्ते प्रेम व्यंजक शकतयः ॥ ९१॥ ૐકાર સર્વ વર્ષોમાં પ્રેમરૂપ (પ્રણવ) મંત્ર સર્વથા પહેલો છે અને હૂંકાર, શ્રકાર, કલકાર વર્ણમંત્ર સ્વરૂપ હોઈ પ્રેમનાં પ્રકાશ કરનાર શક્તિ સ્વરૂપ છે. પ્રેમયોગીઓ પ્રેમથી જ સર્વ જગતને પ્રિય ગણે છે. નવધા ભક્તિ પણ પ્રેમથી જ સફળ થાય છે. આત્મા પુરૂષ સમજો અને પ્રકૃતિને સ્ત્રી સમજો. પ્રકૃતિ પ્રીતિ સ્વરૂપ વડે વ્યાપક આત્મામાંજ રહેલ શુધ્ધ પ્રેમથી શુધ્ધ ભાવ પ્રગટે છે. મોહના વિકારમાં પ્રેમ નથી તે વાતનો સ્વીકાર કરો. લેખ, પ્રતિજ્ઞા, હાવભાવ, મીઠાં વચનમાં પ્રેમ નથી.પૂર્વભવના સંસ્કારથી પ્રેમ થાય છે, ભગવાન સાચા પ્રેમ વિના પ્રસન્ન થતા નથી. પ્રેમ એ અલૌકિક અને વચનાતીત છે. હું અને તું ના ભેદ નથી ત્યાં પ્રેમ છે. ગુરુ શિષ્યના સંબંધોમાં પણ પ્રેમ રહેલો છે. પ્રેમથી મૈત્રી અને મૈત્રીથી સમાધિ પ્રાપ્ત (૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy