SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. અગિયાર અંગ ગીતા કવિરાજ વિનયચંદ્રજીએ ૪૫ આગમમાં અગિયાર અંગ સૂત્રો છે, તેનું ક્રમશઃ વર્ણન કરતી પરિચયાત્મક કે માહિતીપ્રધાન કાવ્યોને ‘ગીતા' નામ આપ્યું છે. ૪૫ આગમમાં અગિયાર અંગ સૂત્રો મૂળભૂત રીતે સ્થાન ધરાવે છે. કળિકાળના જીવોને ભવસાગરથી તરવા માટે જિનબિંબ અને જિનાગમ એજ તરણોપાય છે. કવિએ વિવિધ ઢાલ નેદેશીઓના પ્રયોગથી કાવ્ય રચના કરીને આગમના અગાધ જ્ઞાનસાગરની સફર કરાવવાનો પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે. મૂળ ગ્રંથો વાંચવાની શક્તિ ન હોય તેવા વર્ગને માટે આ ગીતા કાવ્ય આગમના સમૃધ્ધ વારસાનું આચમન કરવા જ્ઞાન પ્રાપ્તિનું એક સમર્થ સાધન પ્રાપ્ત થાય છે. ગીતા સાથે તત્ત્વજ્ઞાનનો સંબંધ અવિચ્છિન્ન છે તે દૃષ્ટિએ વિચારીએ તો આ ગીતામાં જૈન દર્શનશાસ્ત્રના વિવિધ વિચારોનો સમાવેશ થયો છે. પારિભાષિક શબ્દો પણ મોટા પ્રમાણમાં પ્રયોજાયા છે. આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર, જ્ઞાતાસૂત્ર, ઉપાસકદશાંગ, અંતગડદશાંગ, અણુત્તર વવાઈ, પ્રશ્નવ્યાકરણ, શ્રી વિપાકસૂત્ર એમ ૧૧ અંગ છે. આ ગીતાના રચના સમય વિશે કવિના શબ્દોમાં જ જોઈએ તો સંવત સત્તર પંચાવને સ. ૧ વર્ષા ઋતુ નભ માસ કિ સ. II દશમી દિન શુદિ પક્ષમાં સ.પૂરણ થઈ મન આશ. સ. ॥ ૫ ॥ કવિ જણાવે છે કે ગુરુકૃપાથી આ કાવ્ય રચના થઈ શકી છે. પાઠક હરખ નિધાનજી સ. જ્ઞાનતિલક સુપસાય કિ.સ. ॥ વિનયચંદ્ર કહે મેં કરી સ. અંગ ઈગ્યાર સજઝાય સ. | ૭ || મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર ફળશ્રુતિ દર્શાવતી પંક્તિઓ નીચે પ્રમાણે છે. હેજ ધરી જે સાંભલે સ. કુણ બુઢા કુણ બાલ કિ સ.. ।। તો તે ફલ લહે ફુટરા સ. સ્વાદે અતિહિ રસાલ કિસ ॥ ૩ ॥ અગિયાર અંગનો મહિમા ગાઈને જ્ઞાન ભક્તિ સભર કવિનું હૃદય પુલકિત થયું છે. તેની અભિવ્યક્તિ કરતાં કવિ જણાવે છે કે - અંગ ઇગ્યાર મેં ઘુણ્યા સહેલીએ, આ થયો રંગ રોલ કિ.સ. સહેલી એ આજ વધામણાં. ૧૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy