________________
૭૫
ઉપર પ્રમાણે વિરૂદ્ધ આચરણ કરવાથી એ પ્રકારનાં અતિચાર લાગ્યા : સૂક્ષ્મ એટલે નાને દોષ, તથા, બાદર એટલે મોટો દોષ. તે મને જાતના જે અતિચાર લાગ્યા હોય તેને હું, બે હાથ જોડીને, મસ્તક નમાવીને, આ ભવ વિષે તથા પર ભવ વિષે પણ ખમાવું છું. (૯)
દિવસ તથા રાત્રી સબધી હમેશાં, તથા પષ્મિ (પંદર દિવસના) પ્રતિક્રમણમાં, ચૌમાસી (ચાર મહિનાના) પ્રતિક્રમણમાં,તથા સંવચ્છરી (બાર મહિનાના)પ્રતિક્રમણમાં પ્રગટ રીતે જે અતિચાર મને લાગ્યા હોય તેનુ સર્વ પાપ મિથ્યા દુષ્કૃત થાએ.-ફોગટ થાએ. આ આલાચના અહિત તથા સિદ્ધ પરમાત્મા આદિ બધા જાણજો અને ગુરુની સાક્ષીએ તે મારા પાપ મિથ્યા થાઓ. (૧૦)
(દરેક પ્રકારના અતિચારની આલેચનામાં ચાર પ્રકારના દોષ જણાવેલા છે. (૧) અતિક્રમદાષ ઃ મનમાં જે પ્રતિજ્ઞા કરી હોય -નિયમ ધાર્યા હાય તેને તેાડવા માટે વિચાર–ઈચ્છા થાય તે અતિક્રમ દ્વેષ ગણાય, (૨) વ્યતિક્રમ દીપઃ અતિક્રમમાં તે નિયમ તોડવાના વિચાર થયા, પરંતુ તે તેાડવા માટે પ્રવૃત્તિ કરવાથી વ્યતિક્રમ દોષ લાગે છે : કોઈ ચીજ ન લેવાને! નિયમ હાય પણ તે લેવાના વિચાર કરવાથી અતિકમ દોષ લાગે છે : તે ચીજ લેવા જવું–લેવા પ્રયત્ન કરવાથી વ્યતિક્રમ દોષ લાગે છે. તે ચીજ હજુ લીધી નથી. (૩) અતિચાર દોષ : તે ચીજ લીધી પણ ભાગવટા કર્યાં નથી: તે લેવાથી નિયમ ભંગ થયે તેથી અતિચાર લાગે છે, અને (૪) અનાચાર દોષ : તે ચીજ લીધા પછી તેના ઉપયાગ-ભાગવટા-કરવાજાણીને નિયમને! ભંગ થયે તેથી અનાચાર દોષ લાગે છે. દાખલા તરીકે : કાચું પાણી ન પીવાના નિયમ છે છતાં પીવાની ઈચ્છા થઈ ભાવના કરી તે અતિકમ; લેવા ગતિ કરી તે વ્યતિક્રમ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org