SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પણ સમજાયું ન હતું કે આ બંને સત્યો એક છે–આ કોઈ વાણીનું છળ કે ઉપહાસ નથી પણ ગંભીર સત્ય છે કારણ કે મનુષ્યની બુદ્ધિ આગળ વધે તેમ તેમ ઈશ્વર વિષેના તેના વિચારો પણ આગળ વધે છે, વધુ વિશાળ અને વધુ યોગ્ય બને છે. છેવટે બુદ્ધિ, આવેગ, પ્રેમનું તર્કયુક્ત સમાધાન કરી પૃથ્વી પર ખ્રિસ્તની શાંતિ ઉતારે છે. (પરમેશ્વર આવું જ આપ.).” જગતના જુદા જુદા ધર્મોના ઈશ્વર વિશેના વિચારો તપાસીએ તો આપણને જરૂર જાણવા મળશે કે પુરાણો અને પૌરાણિક કથાઓમાં ઈશ્વરનાં જે સ્વરૂપની ધારણા છે, તે સ્વરૂપ અનેક છે. આ ધારણા પ્રમાણે ભકતની પૂજા કે નૈવેદ્યથી તુષ્ટ થાય, તો ભગવાન તેમનાં અનિષ્ટોને ટાળે છે. હિંદુઓમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિપુટીને વિચાર પ્રચલિત છે. વિષ્ણુ કે મહેશના ભકતો પોતાના દેવને જ પૂજાને પાત્ર ગણી બીજા દેવને ગૌણ ગણે છે. વિષ્ણુના દશ અવતારોની, તેઓ નિર્બળની રક્ષા કરે છે તેની અને દુષ્ટોના સકંજામાંથી ભકતોને બચાવી લે છે તેવી ઘણી વાર્તાઓ આપણે ત્યાં છે. સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી દેવીઓ છે. શિવ વિશે પણ અનેક પુરાણકથાઓ છે. ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર વગેરે જરા ઉતરતી કક્ષાના દેવો છે. વિશ્વના પાલન કે રક્ષણમાં તેમનાં કાર્યો ઉલ્લેખ કરવો અત્યારે જરૂરી નથી. વિશ્વની સૃષ્ટિ કોઈ દેવ કે દેવેએ કરી એવું જૈન ધર્મ માનતો નથી. વિશ્વ નિત્ય અને અસુષ્ટ છે. એનાં જુદાં જુદાં સ્વરૂપ હોઈ શકે અને તે સ્વરૂપ તથા લક્ષણોનાં સંધટન–વિઘટન પણ થઈ શકે. તે છ દ્રવ્યોનું બનેલું છે : જીવ, પુદ્ગલ, કાળ, આકાશ, ગતિ અને સ્થિરતાના સહાયક એટલે કે ધર્મ અને અધર્મ. વિશ્વ આ બધાં દ્રવ્યોનું સંયોજન છે. જીવ ચૈતન્ય ધરાવે છે જ્યારે પુદગલ તે ધરાવતું નથી. વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે આ ઘણું સુસંગત છે. જીવ રૂપરહિત છે અને પ્રકૃતિથી મુક્ત છે. જીવોની સંખ્યા અનંત છે. જૈનને ઈશ્વર માટેને મત એવો છે કે ઈશ્વર શુદ્ધ જીવ છે અને તે અનંત ધર્મ, જ્ઞાન, આનંદ અને શકિત ધરાવે છે. પ્રત્યેક જીવમાં આ ગુણો હોય છે જ પરંતુ દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર પ્રકારનાં કર્મોને કારણે જીવના આ સ્વાભાવિક ગુણોનો ક્ષય થયો હોય છે અથવા તેમની ઉપર આવરણ આવેલું હોય છે. પ્રથમ પ્રકારના કર્મને ક્ષય થવાથી પૂર્ણ દર્શન પ્રાપ્ત થાય છે જ્યારે બીજા પ્રકારનાં કર્મોનો ક્ષય થવાથી પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. બાકીનાં બે પ્રકારનાં કર્મોને ક્ષય થવાથી અનંત આનંદ અને શકિત મળે છે. આ ચાર ગુણો કેઈના આપવાથી આવતા નથી પરંતુ તેઓ જીવના પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy