SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મેાક્ષ-કલ્યાણ ખૂબ વિગતવાર વર્ણવાયાં છે. ઇન્દ્ર વગેરે દેવે આ દરેક ઉત્સવ વખતે હાજર રહીને ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લેતા હતા. દરેક તીર્થંકર પૂર્વજન્મમાં માણસ કે પશુ હતા. અને દરેકના છેલ્લા જન્મ મનુષ્યજન્મ હતો, જેમાં નિર્વાણ પામી તેઓ ‘જિન’ થયા હતા. પ્રથમ તીર્થંકરની ઊંચાઈ આશ્ચર્યજનક હતી અને તે લાખા વર્ષો પર્યંત જીવ્યા હતા ૨૫ પ્રત્યેક તીર્થંકરની માતાને આવેલાં સ્વપ્નો પુરાણામાં ઉમેરવામાં આવ્યાં હશે. આ સ્વપ્ના દ્વારા માતાપિતાને એવું સુચવવાના આશય હશે કે તેમને જિન થવા સર્જાએલા પુત્ર થશે અને તેથી તેમણે અત્યંત વિશુદ્ધ અને પવિત્ર જીવન ગાળવું ઘણું જરૂરી છે. પંચકલ્યાણપૂજાને નામે ઓળખાતા પાંચ પૂજા અને ઉત્સવના પ્રસંગે! જનતામાં જાગૃતિ ઉત્પન્ન કરવા અને જનતાને નવા તીર્થંકરના આગમનની જાણ કરવા જરૂરી હતા. ઊંચાઈ તેમ જ જીવનકાળનાં વર્ણના દ્વારા દરેક જિને પ્રાપ્ત કરેલ શારીરિક અને આધ્યાત્મિક પરાકાષ્ઠાનો પ્રભાવ અનુયાયીઓ પર પાડવાના ઉદ્દેશ હશે. કવિ પોતાના મનમાં આશ્ચર્યજનક બળ અને શક્તિની કલ્પના કરતા હોય અને પેાતાનાં કાવ્યનાં વર્ણનમાં પ્રત્યેક જિન પર તે આરોપિત કરતા હોય તે અસંભવિત નથી. ભવાવલી અથવા પૂર્વજન્મના અને મૃત્યુના ઇતિહાસ દ્વારા કર્મના સિદ્ધાંતની અટળતાનું ભારપૂર્વક પ્રતિપાદન કરવાનો આશય હશે. આ સિદ્ધાંત, વ્યકિત ગમે તેટલા ઉચ્ચ સ્થાને વિરાજતી હાય, તો પણ તેને લાગુ પડે જ છે. દરેક તીર્થંકરના જીવનનો ઇતિહાસ વર્ણવવા અશક્ય છે. વળી ઘણા તીર્થકરોની ઐતિહાસિકતા હજી પુરાણકથાઓમાં ઢંકાએલી છે. બધા જ તીર્થ કરો માત્ર પુરાણામાં જ વર્ણવાયેલા છે એવું માનવું વધારે પડતું છે કારણ કે તેમનામાંથી ઓછામાં ઓછા ત્રણની ઐતિહાસિકતા હવે માન્ય રખાઈ છે. પચાસેક વર્ષ પહેલાં ઘણા વિદ્રાનોએ એવું ખાટું વિધાન કર્યું હતું કે મહાવીર જૈન ધર્મના સ્થાપક હતા. તીર્થંકરોમાંથી જે ઐતિહાસિક મનાયા છે અથવા જેમની આજુબાજુ ઐતિહાસિક વાતાવરણ છે તેમના જ હું ઉલ્લેખ કરીશ. મુનિસુવ્રત મુનિસુવ્રત વીસમા તીર્થંકર છે. તેમને જન્મ વૈશાખ વદ બીજને દિવસે થયા હોવાનું મનાય છે. તે રાજગુહ અથવા કુશાગ્રનગરમાં જન્મ્યા હતા. તેમના પિતાનુ નામ સુમતિરાજ અને માતાનું નામ પદ્માવતી હતું. તેમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy