SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણા રિવાજો અપનાવ્યા છે અને બ્રાહ્મણ ધર્મની, હિંદુઓ વડે ચુસ્તપણે પળાતી વિધિઓ પણ તેમણે ગ્રહણ કરી છે તે સાચું છે.” આ ફકરાની આગળના ફકરાને અંતે તેમણે કહ્યું છે: “જેને વેદોને ધર્મગ્રંથ તરીકે સ્વીકારતા નથી અને શ્રાદ્ધક્રિયા તેમજ મૃતાત્માની મુકિત માટે નૈવેદ્ય ધરાવવાની ક્રિયા તેમજ અંત્યેષ્ટિક્રિયા અંગેના બ્રાહ્મણ ધર્મના સિદ્ધાંતનું ખંડન કરે છે તે સાચું છે. ઔરસ કે દત્તક પુત્ર, પિતાનું પારલૌકિક કલ્યાણ કરે છે એવી કોઈ માન્યતા નથી. બ્રાહ્મણ ધર્મ કરતાં, મૃત્યુ અંગેના તેમના આચાર ભિન્ન છે. મૃતદેહનું દહન કે દફન કર્યા પછી તેઓ કોઈ અંત્યેષ્ટિક્રિયા કરતા નથી.” હિંદુ કાનૂન પરના લેખક જૈન ધર્મની પ્રાચીનતા વિષે કોઈ ઉલ્લેખ કરતા નથી. જૈન સિદ્ધાંત અને જેન કાયદાઓનું નિરૂપણ કરતાં મુલ્લા કહે છે: “ખ્રિસ્તની પૂર્વે કેટલાક સૈકાઓ અગાઉ જૈન ધર્મ વિકસ્યો. જૈન ધર્મ ઘણા તીર્થકરોને ઉલ્લેખ કરે છે. મહાવીર તીર્થકરોમાં છેલ્લા હતા. તેઓ બુદ્ધના સમકાલીન હતા અને ઈ. પૂ. પ૨૭માં મૃત્યુ પામ્યા. હિંદુ ધર્મની આધારશિલારૂપ વેદોનાં પ્રામાણ્યને જૈન ધર્મ અસ્વીકાર કરે છે. અને હિંદુ ધર્મમાં મહત્ત્વની ગણાતી ઘણી વિધિની ક્ષમતાની તેઓ અવગણના કરે છે.” જેનોનાં વિશિષ્ટ રિવાજો કે રૂઢિઓ માટે પુરાવાનો અભાવ હોય ત્યારે જેનોને સામાન્ય હિંદુ કાયદાઓ લાગુ પાડવામાં આવે છે.” મૈનેએ પોતાનાં કથનને જુદા જુદા વિષયોમાં જેનોને લાગુ પડતા કાયદાઓ પૂરતું મર્યાદિત રાખ્યું છે તેથી એમને બહુ નવું કહેવાનું નથી. તેમનો મત એવો છે કે જેને જો કે સામાન્ય રીતે હિંદુ કાનૂનોને અનુસરે છે પણ તેઓ વેદોની દિવ્ય ઉત્પત્તિ માન્ય રાખતા નથી, શ્રાદ્ધવિધિ કરતા નથી અને મૃત વ્યક્તિ પાછળ કોઈ ક્રિયા કરતા નથી. ઉપસંહાર આધુનિક સંશોધકોનાં સંશાધનોની કાળજીપૂર્વક સમીક્ષા કરતાં નિશ્ચયપૂર્વક કહી શકાય કે જૈન ધર્મ મૌલિક ધર્મ છે અને ધર્મ તેમજ તત્ત્વવિદ્યાની આદિમ ચિંતનધારાના સમયમાં આર્યોના આગમન પહેલાંના સમયમાં તેનો ઉદ્ભવકાળ ગણી શકાય. હરપ્પા અને મોહન્જોદરોના અન્વેષણોમાં જે મૂર્તિઓ, મુદ્રાઓ વગેરે મળ્યાં છે તેમાં ષભ અને સાંઢ એટલે કે પ્રથમ તીર્થકર અને તેનું પ્રતીક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy