SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ આધુનિક સમાજને ચિંતાતુર કરતી બીજી સમસ્યા જાતીય સંબંધની છે. પશ્ચિમના દેશોમાં વિચારસરણી એટલી આગળ વધી છે કે જાતીય સંબંધો માત્ર માણસની લાગણી અને તેને ગમતી ઇચ્છાઓનો જ સવાલ છે. ન જોઈતા જન્મ માટે ગર્ભનિરોધક સાધનાને કુદરતનાં પ્રતિરોધકો તરીકે સ્વીકારાયાં છે. ધર્મ અને નીતિની ઉન્નત પૃષ્ઠભૂમિકા હેાવા છતાં ભારતમાં પણ ગર્ભપાતને કાયદેસરના ગણવામાં આવ્યો છે. વસ્તીવધારો રોકવા માટે સરકારી પ્રતિનિધિ જોરશેારથી ગર્ભનિરોધનાં સાધનાના પ્રચાર કરે છે. જૈન ધર્મ દ્વારા આદિષ્ટ બ્રહ્મચર્યવ્રત પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથેના જાતીય સંબંધોને નિષિદ્ધ ગણે છે. પત્ની માટેની આસકિત ઉચિત માત્રામાં હોવી જોઈએ કારણ કે કામુકતા અને આવેગથી હિંસા થાય છે. મહાત્મા ગાંધી પોતાની કિશેારાવસ્થામાં જૈન ધર્મથી પ્રભાવિત થયા હતા તે જાણીતું છે. તેમણે પ્રતિપાદિત કર્યું કે બ્રહ્મચર્ય એટલે સંયમ. પ્રજોત્પત્તિ માટે જ આ સંયમના ભંગ કરવાના હોય છે. કુટુંબનિયોજનની તેમની ભાવના આત્મસંયમ પર આધારિત રહી છે. વસ્તીવધારાને રોકતા અને દિવસે દિવસે વધુ મહત્ત્વ પ્રાપ્ત કરતાં ગર્ભનિરોધક સાધનાને તેમણે કુટુંબિનયોજનના પાયામાં ગણ્યાં નથી. કદાચ ઈસ્લામ સિવાય બધા ધર્મોએ લગ્નને, બે પક્ષાને આજીવન બાંધતા સંબંધ તરીકે પવિત્ર માન્યું છે. બીજા દેશામાં લગ્નવિચ્છેદ બહુ ઝડપથી થાય છે અને લગ્નના અમુક સમય પૂરતો સાદા થાય છે. જે ધર્મ પ્રત્યેક વ્યક્તિની, વિચાર અને આચારની શાંતિ પર ભાર મૂકે છે તે આવી પરવાનગી આપે તેવી અપેક્ષા ન રાખી શકાય. સ્યાદ્નાદ અને નયવાદ જૈન ધર્મના પ્રસિદ્ધ સિદ્ધાંતા છે. તેમનું લંબાણ પૂર્વક નિરૂપણ કરવાની મારી ઇચ્છા નથી. આ સિદ્ધાંતો પાછળની ભાવના એવી છે કે અસ્તિત્વનું સ્વરૂપ ખરૂં જો1 અનિશ્ચિત છે કારણ કે તે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશને પાત્ર છે. આ દૃષ્ટિબિંદુ પ્રમાણે પ્રત્યેક તત્ત્વવિદ્યાનું કથન અમુક દૃષ્ટિબિંદુથી જોતાં સાચું છે તેમ બીજાં દૃષ્ટિબિંદુથી તે જુદું પડે તે પણ સાચું છે. તત્ત્વવિદ્યાનાં તર્કવિધાનાનાં સાત રૂપ હાય છે અને પ્રત્યેક તર્કવિધાન એક દૃષ્ટિબિંદુ સૂચવે છે. બીજા ધર્મના ચિંતકોએ ટીકા કરીને આ સિધ્ધાંતને નિરાશાવાદી, હઠાગ્રહી અને અનિશ્ચિત કહ્યો છે. પ્રા. દાસગુપ્ત જેને સાપેક્ષ અનેકત્વ કહે છે તે સ્યાદ્વાદના પક્ષ-વિપક્ષની આગલાં પ્રકરણમાં ચર્ચા કરી છે. દેખીતી રીતે વિરોધી એવા સિદ્ધાંતામાં તે સુમેળ સર્જી સંવાદ રચે છે. સહિષ્ણુતા ઉત્પન્ન કરી તે સંઘર્ષોને દૂર રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy