SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ હોય છે. પૃથક્કરણના બધા માર્ગો પૂરા થઈ જાય પછીનું જ્ઞાનનું શ્રેષ્ઠ સંકલન તે સત્ય જ્ઞાન. નયવાદનું કાર્ય પણ લગભગ એ જ છે. મૂળભૂત વિચાર વિવિધ વિશિષ્ટ વિજ્ઞાનને છે. જેવી રીતે યાદ જુદા જુદા નયામાં સંવાદ સ્થાપે છે તેમ આધુનિક દર્શનશાસ્ત્ર ભિન્ન ભિન્ન પ્રયોગશીલ વિજ્ઞાનનાં નિર્ણયમાં સંવાદ સ્થાપવાનો ઉદ્દેશ રાખે છે.. જૈન દાર્શનિકો એ મત ધરાવે છે કે પ્રત્યેક અસ્તિત્વ ધરાવતું દ્રવ્ય અનંત ગુણો અને અનંત લક્ષણે ધરાવે છે. આ ગુણ અનુભવથી પણ શોધી શકાય. પોતપોતાનાં જ્ઞાન અને અનુભવ અનુસાર ઘડાયાં હોવાથી મન ભિન્ન ભિન્ન હોય છે. જેના દર્શનને મુખ્ય વિષય એવો છે કે માત્ર સત્યમાં જ અનેકત્વ નથી હોતાં પરંતુ દરેક અનેકત્વ પણ અનેક હોય છે. સત્યની સંખ્યા અનંત છે અને તેથી એકબીજા સાથેના તેમના સંબંધે અનંત છે. પ્રત્યેક વસ્તુ એક યા બીજી રીતે સંબદ્ધ છે. સંબંધ, સંબદ્ધ વસ્તુઓમાં સંબંધના ગુણે પેરે છે જે પ્રતિપળે અને પોતાના સમગ્ર સમયના ગાળા દરમ્યાન અનેક બને છે. | વેદાન્તીઓ એવી પૂર્વધારણા સાથે શરૂઆત કરે છે કે સત્ એક સર્વવ્યાપી અસ્તિત્વ છે. વિજ્ઞાનવાદી બૌદ્ધો અણુ જેવી વિશેષ સત્તામાં માને છે, અને માને છે કે પ્રત્યેક વિશેષ પ્રત્યેક બીજાં કરતાં ભિન્ન હોય છે અને તેમનું સંયોજન કરનાર કોઈ છે નહીં. તૈયાયિકો માને છે કે આ બંને વ્યક્તિના દેહમાં ભેગાં થયેલાં છે. પણ તેઓ એમ માને છે કે બંને ભિન્ન અને સાવ જુદાં છે. આ બધાંથી જુદુ પડીને જૈન દર્શન માને છે કે વિશ્વવ્યાપી અને વિશિષ્ટ બને સત્યનાં જુદાં પાડી શકાય એવાં લક્ષણ છે. બંને એક છે અને એકબીજાથી ભિન્ન પણ છે. - ટૂંકમાં તત્ત્વવિદ્યાનાં ક્ષેત્રમાં આપણા પૂર્વજોનાં કથનનું મૂલ્યાંકન કરવા માટે દૃષ્ટિબિંદુઓનું પૂર્ણ અવલોકન જરૂરી છે. વિચારોની લગભગ બધી જટિલતા અને ભિન્ન ધર્મના અનુયાયીઓ વચ્ચેની દુશ્મનાવટ આપણે જેને અંધપણે અનુસરીએ છીએ તે ધર્મગ્રંથોને, સ્યાદ્વાદની કસોટીએ કસતાં, અટકી જાય છે. કોઈ પણ ધર્મગ્રંથના કે ધર્મપુરુષનાં કથનમાં સ્થાત્ શબ્દ ઉમેરવામાં આવે, તે એ કથન જેણે ઉચ્ચાર્યું હોય તે ધર્મપુરુષના દૃષ્ટિબિંદુને સાચી રીતે સમજવામાં મન કેળવાશે, એક જ પંથના વિવિધ ધર્મોના ધર્મગ્રંથનાં કથનમાં વિરોધ હોય, તેનું સમાધાન કરવાનું સામર્થ્ય આપશે. ઘણી વખત એવું બને છે કે એક દકિટબિંદુથી જે ખોટું , તે બીજા દૃષ્ટિબિંદુથી ખોટું ન પણ હોય. એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy