SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ અડકીને કહે છે કે હાથી ભીંત જેવા છે. ત્રીજો કાનને સ્પર્શીને કહે છે કે હાથી સૂપડા જેવા છે. આ દરેક હાથીના એક જ અંગને સ્પર્શે છે અને માને છે કે પોતે જ પૂર્ણ સત્ય રજુ કરે છે. જે માણસ હાથીને પેાતાની આંખે દેખી શકે છે તેને તો સ્પષ્ટ છે કે દરેક આંધળા માણસના મત માત્ર અપૂર્ણ સત્યને જ રજુ કરે છે અને દરેક દૃષ્ટિબિંદુના બૌદ્ધિક સુમેળ સાધવામાં આવે, તે જ સમગ્ર સત્ય જાણી શકાય. આ સૂચવે છે કે દરેક મત સાપેક્ષ છે અને સ્પર્શેન્દ્રિયથી જે કાંઈ અનુભવાયું, તેની જ અભિવ્યકિત કરે છે. સ્યાદ્વાદના સપ્તભંગી સિદ્ધાંત કુન્દકુન્દે પંચાસ્તિયના ચૌદમા શ્લોકમાં તેમજ પ્રવનસારના બીજા સર્ગના ૨૨-૨૩ શ્લાકમાં રજુ કર્યો છે. બીજો સર્ગ જ્ઞેયત્વનું નિરુપણ કરે છે. જે સંદર્ભમાં આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે અસ્તિત્વ, રૂપાંતર અને વિનાશને પાત્ર દ્રવ્યના વિષયની ચર્ચા કરે છે. સંપૂર્ણ જ્ઞાન માત્ર સર્વજ્ઞત્વ દ્વારા જ પ્રાપ્ત થાય છે તે સ્વીકારવામાં આવ્યું છે. પદાર્થનું સતત રૂપાંતર થતું રહે છે અને સંપૂર્ણ સત્યને પૂર્ણરૂપે ગ્રહણ કરવામાં મનુષ્યની બુદ્ધિ સમર્થ નથી તેથી આ સિદ્ધાંતની જરૂરત ઊભી થઈ છે. ત્રણ કાળમાં અને અનંત આકાશમાં વિસ્તૃત, તેમજ ઉત્પત્તિ, વિનાશ અને નિત્યતાને પાત્ર દ્રવ્યો, ગુણા અને રૂપાંતરોની વિરાટ સંકીર્ણતા તે શાનના વિષય છે. આવાં પ્રકારનાં જ્ઞાનના વિષય માત્ર સર્વજ્ઞત્વમાં જ ગ્રહણ કરી શકાય. ઈન્દ્રિયો જ્ઞાનનાં પરોક્ષ પ્રમાણેા છે અને તેમની જે કાંઈ પ્રતીતિ હોય, તે સાત આંધળાએ કરેલી હાથીની પ્રતીતિની જેમ અપૂર્ણ હોય છે. સામાન્ય માણસ ઈન્દ્રિયની ઉપરવટ જઈ શકતા નથી, ઈન્દ્રિયની મર્યાદા હોવાથી તેની સત્યની પ્રતીતિ અપૂર્ણ હોય છે અને એ પ્રતીતિ અમુક દૃષ્ટિબિંદુથી જ થએલી હોય છે. આને કારણે જૈનના નયવાદ ઊભા થયા છે. મનુષ્યનું જ્ઞાન આંશિક હોવાથી સંકીર્ણ પ્રકારની સત્તા પ્રત્યેના અભિગમની નવી રીત શોધવી જોઈએ. એ રીત તે સ્યાદ્નાદ અથવા સપ્રતિબંધવિધાનના નિયમ. આમ આ સિદ્ધાંત જ્ઞાનના વિષયની સંકીર્ણતાની તેમજ માનવગ્રહણ અને અભિવ્યક્તિની મર્યાદાઓની સંકીર્ણતાની પ્રબળ સભાનતાનું પરિણામ છે. દ્રવ્ય સતત રૂપાંતરને પાત્ર હોય છે અને આપણે તેને એક યા બીજા રૂપાંતરમાં જોઈએ છીએ. આપણે જ્યારે તેનું વર્તમાન રૂપાંતર જોઈએ, ત્યારે ભૂતકાળનાં કે ભવિષ્યકાળનાં રૂપાંતરોને સાવ નકારી શકીએ નહીં. આવા વિશિષ્ટ દૃષ્ટિકોણ, તેનાં સપ્રતિબંધ અસ્તિત્વમાં, સપ્રતિબંધ અભાવમાં અને સપ્રતિબંધ અવર્ણનીયતામાં માનવા પ્રેરે છે. આ બધાંના સંયોગથી સાત વિધાન શકય બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy