SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ રીતે, તે વખત પૂરો પદાર્થ જે કાર્ય કરે છે તે કાર્યને જ તે વળગી રહે છે એ તેનું મહત્ત્વ છે. ઉમાસ્વામી નોંધે છે કે આ સાત નય એકબીજાથી તેમના સૂક્ષ્મતર વિસ્તારોને કારણે જુદા પડે છે અને પ્રત્યેક ઉત્તરવર્તી દૃષ્ટિબિંદુ પ્રત્યેક પૂર્વવર્તી દૃષ્ટિબિંદુ પર આધાર રાખે છે તેથી સૂત્રમાં તેમને વિશિષ્ટ ક્રમ આપીને નિર્દેશ કરવામાં આવ્યો છે. પદાર્થનાં અસંખ્ય દષ્ટિબિંદુઓ છે એ દષ્ટિબિંદુ અનુસાર આ દષ્ટિબિંદુઓના અનેક પેટા વિભાગો પડે. તેઓ એકબીજા પર આધાર રાખે છે અને તેમને સંવાદભર્યો સુમેળ સમ્યફ દર્શન તરફ લઈ જાય છે. પૂજ્યપાદ એ દરેકને સુતરના દોરા સાથે સરખાવે છે. સુતરના દેરાને જ્યારે બરાબર વણવામાં આવે ત્યારે તે કાપડનું રૂપ ધારણ કરી દેહને અનુકૂળ વસ્ત્ર બને છે પણ દરેક દોરાને છુટો કે સ્વતંત્ર લેવામાં આવે તો કોઈ ઉદ્દેશ પાર પડતો નથી. દરેક દોરામાં સુષુપ્ત રીતે વસ્ત્ર રહ્યું હોવા છતાં જ્યારે દોરા ભેગા થાય ત્યારે જ કાપડની માન્યતાને અનુરૂપ રહે છે. જે દાર્શનિકો એવું વિધાન કરે છે કે પિતાને મત પૂર્ણ અને વ્યાપક છે તેમને નયવાદ ચેતવણી આપે છે. સત્તાનાં ભિન્ન ભિન્ન લક્ષણોની સાપેક્ષતાને સ્વીકારી બધાં વિરૂદ્ધ દષ્ટિબિંદુઓનું સમાધાન કરી તે સુમેળ સ્થાપે છે. આમ નય સંપૂર્ણત્વને એક ભાગ માત્ર પ્રદર્શિત કરે છે અને તેમને સંપૂર્ણ તરીકે માનવાની ભૂલ ન કરવી જોઈએ. વસ્તુના આ અનેકત્વને કારણે અનેક નય થશે અને તેમના વિશાળ દષ્ટિએ જોતાં સાત, બે વગેરે ભાગો પડશે. અકલંકની વ્યાખ્યા પ્રમાણે નય એ જાણનારને વિશિષ્ટ અભિપ્રાય છે. (નવો જ્ઞાતુરમiાય:). આ ભિન્ન ભિન્ન અભિપ્રાયોનું સંકલન એક વ્યાવહારિક આવશ્યકતા છે. તેમાં દરેક દૃષ્ટિબિંદુનું સાપેક્ષ મહત્વ જાળવી રાખવું જોઈએ. સ્યાદ્વાદ એ પૂર્ણ કરે છે. સ્યાદ્વાદ વિશ્લેષણાત્મક દૃષ્ટિબિંદુઓ અપૂર્ણ સત્યનો ઉલ્લેખ કરે છે તે સ્પષ્ટ છે. આવાં અપૂર્ણ દૃષ્ટિબિંદુઓ સુસંકલન જ્ઞાનમાં સુમેળ લાવે છે તે સ્પષ્ટ છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત આવી સુમેળભરી રીતનો ઉપયોગ કરે છે. આનું ઉદાહરણ આપવા ચિંતકો સાત આંધળા માણસો અને હાથીની વાત કરે છે. એક આંધળો માણસ હાથીના પગને સ્પર્શીને કહે છે કે હાથી થાંભલા જેવો છે, બીજો શરીરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy