SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ દેવામાં આવે છે. મન આનંદમય અને શાંતિમય હોવાથી શારીરિક પીડા થતી નથી. સી. આર. જૈનીએ સલ્લેખના વિ. આત્મહત્યાના મુદ્દાને આ રીતે ઉપસંહાર કર્યો છે : “અહીં સ્વેચ્છાએ કે આનંદને ખાતર, જીવન ભારરૂપ કે જીવવા જેવું ન લાગે ત્યારે આત્મહત્યાનાં સૂચનને કોઈ પ્રશ્ન નથી. સલ્લેખનાને ખરો વિચાર એ જ છે કે છેવટે જ્યારે મૃત્યુ આવે છે, ત્યારે મૃત્યુ પામતાં આવડવું જોઈએ. બૂમબરાડા પાડતાં, જે અનિવાર્ય છે તેનું નિવારણ કરવા નિષ્ફળ પ્રયત્ન કરતાં, પશુની જેમ મૃત્યુ પામવું ન જોઈએ...ઉચિત રીતે કરવાથી સંકલ્પને વિકાસ થાય છે. ભવિષ્યના જીવન માટે જીવની એક મોટી સંપત્તિ રહે છે. જીવ તો સાદો પદાર્થ છે અને દેહનાં વિસર્જન કે મૃત્યુની ઉપરવટ થઈને એનું અસ્તિત્વ તે રહેવાનું જ છે. જૈન સલ્લેખના પરિસ્થિતિને લક્ષમાં લેવા પૂરતો સમય આપે છે કારણ કે સંકલ્પને ઉન્નત કરવા જે પ્રક્રિયા પ્રથમ ધારી હતી તે દિવસ સુધી વિસ્તરતી હોય છે અને એકાએક તેને અંત આણવામાં આવતો નથી.” ટૂંકમાં, આત્મહત્યાનો ભેગ બનેલી વ્યકિતના કાબુ બહારનાં કારણોસર અનુભવાતી માનસિક અસામાન્યતાનું કારણ તે આત્મહત્યા જ્યારે આત્મસાક્ષાત્કાર અથવા કર્મબંધની જાળને પરિહાર કરવા માટે શાંતિમય મૃત્યુના શ્રેષ્ઠ આદર્શથી પ્રેરાઈને ધર્મના શ્રેષ્ઠ કાયદા અનુસાર, સુનિયોજિત મૃત્યુ તે સલ્લેખના. કર્ણાટક રાજ્યના જુદા જુદા ભાગોમાં આલેખોમાં સલ્લેખનાના સેંકડો પ્રસંગો, રાજય સરકારે પ્રગટ કરેલી Epigraphica Carnaticaમાંના બાર ભાગોમાં નોંધાયા છે. સૌથી છેલ્લો દાખલો આધુનિક સંતશ્રી શાંતિસાગર મહારાજનો છે. તેમણે મહારાષ્ટ્ર રાજ્યમાં કુંથલગિરિની ટેકરી પર ૧૯૫૫ના સપ્ટેમ્બરમાં આ વ્રત લીધું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy