SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ (૧૦) તેણે બીજામાં વિશ્વાસ ઉત્પન્ન કરવો જોઈએ જેથી તેના સંસર્ગમાં આવનાર પ્રત્યેક વ્યકિત સુખ અનુભવ અને સલાહની જરૂર પડે ત્યારે નિરાંતે તેની પાસે આવવા પ્રેરાય. તેણે સંયમપૂર્વક બોલવું જોઈએ અને તેને વાર્તાલાપ મધુર હોવો જોઈએ. બીજાના પ્રશ્નો સમજવાની તેનામાં ધીરજ હોવી જોઈએ અને તેના ઉત્તર સમજદારીભર્યા તેમજ સહાનુભૂતિભર્યા હોવા જોઈએ. આશાધરે બીજા વિષયો ચર્ચા છે તેમની ચર્ચા ઉપર થઈ ગઈ છે. સાધુના જીવન અને ચારિત્રના પાયામાં સંયમ અને મન તેમજ કર્મની શુદ્ધિ હોવી જોઈએ, તે નિર્વિવાદ છે. આ સિદ્ધ કરવા માટે તેણે બાહ્ય તેમજ આંતર તપશ્ચર્યા કરવી જોઈએ. જે લેખકોએ યતિધર્મ વિશે લખ્યું છે તે બધાએ આ વિષયની ચર્ચા કરી છે. આ તપશ્ચર્યા પોતે પિતાની જાતે સ્વીકારેલી હોય છે અને દીક્ષા પછીનાં મુનિવ્રતનાં પરિણામસ્વરૂપ છે. દેહના દમન તેમજ સાંસારિક જીવનની શૃંખલાઓમાંથી સંપૂર્ણ રીતે છુટવા માટે સ્વૈચ્છિક તપશ્ચર્યા કરવાની હોય છે. ઉમાસ્વામીના કહેવા પ્રમાણે છે બાહ્ય તપ છે : અનશન ઓછા પ્રમાણમાં ખાવું (સવમૌર્ય), ભિક્ષા માટેના ઘરની સંખ્યા અને ભિક્ષા માંગવાની રીતને પહેલેથી વિચાર કરવો (વૃત્તિરસંસ્થાન), દૂધ, દહીં, તેલ જેવા રસભર્યા અને સ્વાદિષ્ટ પદાર્થોને ત્યાગ (રસારિયા), એકાંત સ્થળની પસંદગી (વિવિધ્યાસન), દેહદમન (લાયસ્ટેશ). આ તપશ્ચર્યા પાછળનો ઉદ્દેશ વધુ સંયમની પ્રાપ્તિ તેમજ આસકિતને ક્ષય કરવાને છે. ઇન્દ્રિયોના ઉપશમ માટે ઉપવાસ કરવાની રીત જાણીતી છે. બીજું તપ માત્ર ઘરની જ મર્યાદા બાંધતું નથી પરંતુ પોતે પહેલાં નક્કી કરેલી શરતે પૂર્ણ થાય, તે જ ભિક્ષા સ્વીકારવાનું વિધાન કરે છે. પહેલાં કહેવાઈ ગયું છે કે માત્ર પોતાને માટે જ તૈયાર થએલું ભોજન તેણે લેવાનું નથી. ઓછો આહાર સ્વાધ્યાય અને ઉપદેશમાં તેને જાગૃત રાખે છે. ચોથું તપ–સ્વાદિષ્ટ અને રસયુકત ભોજનનો પરિત્યાગ તેને કષાયો અને ઇન્દ્રિયની ઉત્તેજનાઓનું દમન કરવામાં સહાય કરે છે. એકાંતવાસ તેને બ્રહ્મચર્ય, ધ્યાન અને શાંતિપૂર્વકનાં એકાગ્ર અધ્યયનમાં મદદ કરે છે. છેલ્લું – દેહદમન તેને આત્મવિલોપન અને કષ્ટમય જીવન માટે તૈયાર કરે છે. આભ્યતર તપમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ચુત્ર (પરિગ્રહને ત્યાગ) તેમજ દયા – કરવાનાં હોય છે. આંતરિક તપશ્ચર્યાને ઉદ્દેશ જીવનાં સ્વરૂપ પર વધુ એકાગ્રતા અને ધ્યાન દ્વારા મનને શુદ્ધ કરવાનું છે. દરેક પ્રકારના પ્રમાદ અને શૈથિલ્ય વગેરેથી મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy