SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, સત્ય, શુદ્ધિ, સંયમ, તપ, ત્યાગ, અનાસક્તિ અને બ્રહ્મચર્ય એટલે ધર્મ. આ દશનાં વિધાનના હેતુ મન, વિચાર અને કાર્યની પ્રવૃત્તિઓનું નિયમન કરવાના છે. તેમનું પાલન અને આચરણ સાધકના અનિષ્ટ વિચારો અને દુષ્કૃત્યો અટકાવી, જીવનને સાચી દિશામાં વાળે છે. ‘ઉત્તમ’ શબ્દ પ્રત્યેક ગુણની સાથે લેવાના છે. આ દર્શાવે છે કે આ પાલન ઉચ્ચ કોટિનું અને પૂર્ણ હોવું જોઈએ. વિશુદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિ સિવાય, બીજા કોઈ સાંસારિક બદલાની અપેક્ષા ન હાવી જોઈએ. જે ક્રમમાં તેમને ઉપર ગણાવવામાં આવ્યાં છે તે જ ક્રમમાં તેની ચર્ચા કરવી ઉચિત લેખાશે. ૧૮૫ ૧. ઉત્તમ ક્ષમા ઉત્તમ ક્ષમા એ દિવ્ય ગુણ છે. બીજા લોકોનાં વર્તનને કારણે ક્રોધ ઉપજે, કે સંજોગોના બળે અપમાન કે અવગણના થાય, ત્યારે મન ક્ષુબ્ધ થઈ જાય એવું ઘણી વખત બને છે. પ્રત્યેક વ્યક્તિને એની પોતાની નિર્બળતાઓ હોય છે. કેટલીક વખત બીજાની લાગણીઓને દુ:ખ પહોંચાડવા આપણે પ્રેરાઈએ છીએ, તો કેટલીક વખત બીજા આપણી લાગણી ઘવાય એવું આચરણ કરે છે. માનસિક રીતે ક્ષુબ્ધ થયા વિના, મનની શાંતિ જાળવવામાં ડહાપણ રહેલું છે. આને ક્ષમા કહે છે. સાધુની જીવન જીવવાની રીત કે નગ્નતાને કારણે વિરૂદ્ધ થએલા લોકો સાધુને ગાળા ભાંડે, અપમાનિત કરે કે ઠપકો આપે એવા ઘણા સંજોગે ઊભા થાય છે. આ બધું તેણે શાંતિપૂર્વક સહન કરી લેવું જોઈએ, અને મનમાં વિચાર કરવો જોઈએ કે સાધુજીવનના આચારથી અજ્ઞાત હોવાને કારણે (લાકોનું) મન આવું વર્તન કરવા પ્રેરાય છે. માનસિક કે શારીરિક દુ:ખ આપે એવી વ્યક્તિઓને ક્ષમા આપવી જોઈએ. ભગવાન મહાવીરને એક વખત એના એક શિષ્યે પ્રશ્ન પૂછ્યો હતો : ‘ભગવન્! ક્ષમાથી શું પ્રાપ્ત થાય છે?' ભગવાને ઉત્તર આપ્યો, “ક્ષમાથી મનને શાંતિ અને સૌજન્યવૃત્તિ મળે છે. સૌજન્ય સર્વ પ્રાણી પ્રત્યે સ્નેહ ઉત્પન્ન કરે છે. સ્નેહવૃત્તિથી મન શુદ્ધ બને છે. શુદ્ધિથી તે ભયરહિત બને છે.” ક્રોધ જીવના પરમ શત્રુ છે. સંયમ અને અનાસક્તિ જીવના ગુણા છે. ક્રોધ આ ગુણાને નાશ કરી, જીવના ગુણને નીચે ઉતારે છે. ક્રોધથી મન બેકાબુ બને છે અને મનની સમતુલા ગુમાવી બેઠેલા માણસ શું કરશે તે કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy