SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ સંયમભાવનાની જનારૂપે છે. આ વ્રત અનુસાર તેના પાલકે આહાર અને ઉપભોગ ઉપર નિયમન મૂકવાનું છે. આ વ્રત અહિંસાના મહાવ્રતનાં પૂરક છે અને બધાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને સ્નેહ કેળવવાની શક્તિ આપે છે. શિક્ષાવ્રત કાર્ય, આહાર અને ઉપભેગનું નિયમન, જે ગુણવ્રતને ઉદ્દેશ છે, તે મનની શુદ્ધિ માટે અને વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ સાધવા માટે પૂરતાં નથી. જીવનને સાર્થક બનાવવા માટે પ્રામાણિકતા અને ત્યાગની પ્રવૃત્તિ સદૈવ ચાલુ રહેવી જ જોઈએ. વ્યક્તિને નૈતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ, ભાવ અને કાર્યની દષ્ટિએ પ્રગતિકારક ન થાય, ત્યાં સુધી સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રગતિ થઈ શકે નહીં. પાંચ અણુવ્રત દૈનિક જીવનનાં અનિષ્ટોનો ઉકેલ આણી મન અને કાર્યને શુદ્ધિ અર્પે છે, તો ત્રણ ગુણવ્રત કાર્ય, આહાર અને ઉપભેગમાં સંયમ ઉપદેશે છે. શિક્ષાવ્રત મનને વિશાળ બનાવે છે અને ધર્મગ્રંથોમાં રહેલાં જ્ઞાનની વૃદ્ધિ માટે નિયમિત તક આપે છે. વ્રતનું પાલન આધ્યાત્મિક કેળવણી અને અનુભવના પાઠ આપે છે, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના પ્રભાવમાં આપણી માન્યતાને તે દઢ કરે છે, અને સાધુ તરીકેના કઠણ જીવનની તૈયારીરૂપે તેના પાલકને શુદ્ધિભર્યું અને ત્યાગભર્યું જીવન જીવવા પ્રેરે છે. સમંતભદ્ર ચાર શિક્ષાવ્રતોને આ ક્રમમાં કહ્યાં છે : (૧) હેશવાજીરાવ (૨) સામાયિન (૩)જોષધોપવાર (૪) વૈયાવૃત્ય. જૈન યોગ ઉપરથી એવું લાગે છે કે સમંતભદ્ર અને આશાધર સિવાય બીજા બધા આચાર્યો સામાયિકને પ્રથમ શિક્ષાવ્રત તરીકે ગણાવે છે. १. देशावकाशिक આ વ્રતનું સ્વરૂપ મને દિવ્રતના બીજા પ્રકાર જેવું લાગે છે. ઉમાસ્વામી અને વસુનન્દી તેને ગુણવ્રત માને છે. આ વ્રતમાં વ્યકિતએ પોતાની પ્રવૃત્તિની હદ, ઘર, તેના એક ભાગ, ગામડાં કે શહેર સુધી નક્કી કરવાની હોય છે. આ વ્રતના પાલનનો સમય એક દિવસથી માંડીને થોડા દિવસ, એક મહિને, વધુ મહિના કે એક વર્ષ સુધીનો હોય છે. દિવ્રત અને દેશાવકાશિક વ્રત બંનેના મૂળમાં રહેલી ભાવના એવી છે કે જો કોઈ માણસ પોતાની પ્રવૃત્તિની નાની કે મોટી મર્યાદા નક્કી કરે, તે એની સ્વનિર્ણત હદની બહારના પ્રદેશમાં એની અનુપસ્થિતિને અર્થ એ કહી શકાય કે તે એ વિશાળ પ્રદેશમાં તે શ્રમણોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy