SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પાંચ છે : હંસા, સત્ય, અસ્તેય, બ્રર્ય અને સાજિ. બૌદ્ધધર્મના નીતિશાસ્ત્ર પ્રમાણે આચારના આ નિયમને “પંચશીલ' કહેવામાં આવે છે. આ વ્રતનું પાલન પાંચ ઇન્દ્રિયોની ઘણી અશુભ પ્રવૃત્તિઓને અટકાવશે અને કષાયોના ઉદયને રોકશે. સમિતિ પાંચ પ્રકારની છે. તેઓ આચાર અને વર્તનમાં કાળજી અને સંયમ રાખવાનો આદેશ આપે છે. રૂ સમિતિ એટલે ચાલતી વખતે કાળજી રાખજ્વ. મનુષ્યો અને પશુઓ જે રસ્તે ચાલતાં હોય, તે જ રસ્તે જવું જોઈએ. આ રસ્તાને ઉપયોગ એવી રીતે થવો જોઈએ કે કીડી કે બીજાં જંતુઓને કોઈ પણ જાતનું નુકસાન કે હાનિ ન પહોંચે. માવા સમિતિ એટલે બોલવામાં કાળજી રાખવી. વાણી નમ્ર, મિત અને કલ્યાણકારક હોવી જોઈએ. કઠોરતા, ઉદ્ધતાઇ, કરડાકી અને કડવાશ વગેરેને આપણે જ્યારે બીજા સાથે વાત કરતાં હોઈએ ત્યારે દૂર રાખવાં જોઈએ. gષણ સમિતિ એટલે ભિક્ષા લેવામાં કાળજી રાખવી, જેથી ચારિત્રના નિયમોનું ખંડન ન થાય. મારા નિક્ષેપ–ધર્મના આચરણ માટેની ચીજો લેવામાં અને રાખવામાં કાળજી રાખવી. જે સ્થાન પર આ વસ્તુઓ રાખવાની હોય તે સ્થાનની પરીક્ષા કરવી જોઈએ. છેલ્લી સ તિ છે. મળમૂત્રનો ત્યાગ કરવાની કે બીજા ઉત્સર્ગો માટેની ભૂમિ પસંદ કરવામાં કાળજી રાખવાની હોય છે. આ સ્થાન એવું હોવું જોઈએ જેમાં ઘણા લોકોની અવરજવર ન હોય, તેમ જ તે જીવજંતુ રહિત હોવું જોઈએ. ગુણિ એટલે દેહ, મન અને વાણીના વ્યાપારમાં અંકુશ. ચાલતાં કે શરીરની કોઈ પણ હિલચાલ કરતાં ખૂબ કાળજી રાખવાની હોય છે. તેને કાયગુપ્તિ કહેવામાં આવે છે. વાગુપ્તિ એટલે જીભ પર અંકુશ રાખવે છે. બીજાની લાગણી દુભાય એવા શબ્દો ન બોલાય તે માટે વાણી પર અંકુશ રાખવો જોઈએ. ત્રીજી મનગુપ્તિ છે, જેમાં મન પર સંયમ રાખવાનો છે. અનિષ્ટ કે હાનિકારક વિષયમાં મનને ભટકવા દેવું જોઈએ નહીં. ધર્મમાં આચારના દશ ગુણો અથવા નિયમોનું પાલન કરવાનું હોય છે. ધર્મ' શબ્દના સામાન્ય અર્થથી જુદા તારવવા માટે “ઉત્તમ’ એવું વિશેષણ પ્રત્યેક ગુણને આપવું અનિવાર્ય છે. એટલે કે આ ગુણોનાં વધારે ઉત્કૃષ્ટ સ્વરૂપે અહીં અભિપ્રેત છે. તે આ પ્રમાણે છે : ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્તવ, ઉત્તમ ગાર્નવ, ઉત્તમ સત્ય, ઉત્તમ વ, ઉત્તમ સંયમ, ઉત્તમ તા, ઉત્તમ ત્યા, ઉત્તમ આવવા અને ઉત્તમ વ્રાર્થ. આ દશ આચારના નિયમો મનને શુદ્ધ કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy