SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ અવિરતિના પણ પાંચ પ્રકારો છે : ના, અનૈત (અસત્ય), વીર્થ (ચેરી) વ્રજ (અસંયમ) અને પરિક્ષા (બિનજરૂરી વસ્તુ પાસે રાખવાની ઇચ્છા). આ પાંચ અવિરતિને અવ્રત ગણવામાં આવે છે. પ્રમાદના પણ પાંચ પ્રકારો છે : વિથ એટલે કે વ્યક્તિ, રાજ્ય, સંસ્થા રાજા, સ્ત્રી વગેરે વિશે નિંદનીય વાતો કરવી. કષાય ચાર પ્રકારના હોય છે : સ્રોધ, માન, માયા અને સ્ત્રોમ. પાંચ ઇન્દ્રિયો, વિવિધ પ્રકારનાં બેદરકારીભર્યા કાર્યો, નિદ્રા જ્યાં અસ્વાભાવિક હોય, ત્યાં બેદરકારીભરી ભૂલનું કારણ થઈ શકે. રાગ એ પાંચમા પ્રકારનો પ્રમાદ છે. જુદા જુદા સાંસારિક પદાર્થો તરફની આસક્તિ રાગમાં પરિણમે છે. યોગ એટલે દેહ, મન અને વાણીની પ્રવૃત્તિ. તે સત્ય, અસત્ય અને મિશ્ર હોઈ શકે. કષાયોમાં ક્રોધ, માન, માયા અને લોભને સમાવેશ થાય છે. તેઓ મૃદુ, ગહન કે વધારે હોય તે પ્રમાણે તેમના પણ ભાગ પડે છે. આગલા પ્રકરણમાં નેકષાયને નિર્દેશ થઈ ગયો છે. કુન્દકુન્દ્રાચાર્યે સમયસાર ના પાંચમા પ્રકરણમાં કર્મના આમ્રવનાં આવાં જ કારણોને નિર્દેશ કર્યો છે. મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ, જીવના ગુણોને દૂષિત કરતા કર્મદ્રવ્યના પ્રવાહના કારણરૂપ છે. સમ્યક્ જ્ઞાન કે સમ્યક્ દર્શન ન ધરાવતા મનુષ્યમાં આવા કપાયો અને માનસિક સ્થિતિ પ્રવર્તે છે. મન કે વચનની અશુદ્ધ કે મિથ્યા પ્રવૃત્તિને કારણે આસવને આરંભ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રયથી અંકુશમાં લેવામાં ન આવે તે કષાયો પ્રેરક પરિબળ હોય છે. આસ્રવ જીવને શી રીતે બાંધે છે? આની પ્રક્રિયા સમજાવવા માટે એક માણસનું ઉદાહરણ આપવામાં આવે છે. આ માણસનું શરીર તેલથી પૂરું લીંપાઈ ગયું હોય છે અને તે પવનવાળી જગ્યામાં ઊભો હોય છે. આવા માણસને ધૂળના ૨જકણો ચોંટે તે બહુ સ્વાભાવિક છે. તેવી જ રીતે વિવિધ પ્રકારની મનની પ્રવૃત્તિઓને કારણે જીવ જ્યારે નિર્બળ બની ગયો હોય છે, ત્યારે તે કર્મદ્રવ્યના પરમાણુઓને પ્રવેશ કરવા અવકાશ આપે છે. ભાવાચવ અથવા મનની પ્રવૃત્તિઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy