SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ બૌધ્ધ ધર્મ પણ કર્મનું વર્ગીકરણ રંગની પરિભાષામાં કરે છે: કૃષ્ણ, શ્વેત, શ્યામ અને વેતનું મિશ્રણ, અને શ્યામ પણ નહીં અને તે પણ નહીં. તેઓ કર્મને સૂક્ષ્મ પરમાણુનું બનેલું સૂક્ષ્મ દ્રવ્ય માનતા નથી. યોગ દર્શને પણ તે જ વર્ગીકરણ સ્વીકાર્યું છે. દાસગુપ્તનું સુચન છે કે યોગદર્શનમાં કૃષ્ણ અને શ્વેત કર્મને વિચાર ઘણુંખરું જૈનદર્શનમાંથી લેવામાં આવ્યો હશે. જીવ પોતે લેશ્યાથી રંજિત થાય છે એવું જૈનધર્મનું પ્રતિપાદન નથી. લેશ્યાને પહેલો સંબંધ કર્યદ્રવ્ય સાથે છે. જીવ પરનું તેનું પ્રતિબિબ શ્વેત સ્ફટિક પર પડતાં રંગીન પુછ્યું કે રંગીન પદાર્થ જેવું છે. ઈશ્વરવાદીઓએ પણ કષાય અને મનની પ્રવૃત્તિઓના સંબંધમાં રંગનો સિધ્ધાંત સ્થાપિત કર્યો છે. તેમના મત પ્રમાણે મત્સ્ય દેહ ત્રણ પ્રકારના હોય છે : ભૌતિક, સૂક્ષ્મ અને માનસિક. ભિન્ન ભિન્ન મનુષ્યોના સૂક્ષ્મ દેહનો વિકાસ અત્યંત જુદો હોય છે. આ દેહ જ સુખ અને દુઃખને અનુભવ કરાવે છે. કષાય, ઇચ્છા અને ભાવથી પ્રેરાઈને આ દેહ જ કાર્યમાં પ્રેરિત થાય છે. અને એ દેહની અંદર જ દર્શન, શ્રવણ, સ્વાદ, દાણ અને સ્પર્શની ઇન્દ્રિયનાં કેન્દ્રો આવેલાં છે. જો આવેગ, ઇચ્છા અને ભાવ, હલકા પ્રકારનાં, વિષયાસકત અને પાશવી હોય, તો તેનું દ્રવ્ય બરછટ, તેનાં આંદોલનો પ્રમાણમાં ધીમાં અને રંગ શ્યામ અને અનાકર્ષક બદામી, ઘેરો કાળો, ઘેરો લીલે અને તેમનાં મિશ્રણરૂપ હોય છે, અને વખતોવખત તેમાં લોહી જેવા રાતા રંગના ઝબકારાનો પ્રકાશ હોય છે. સૂક્ષ્મ શરીરના રંગોનાં વર્ણનચિત્રો કલાકારોએ દોર્યા હોવાનું કહેવાય છે અને તે અતીન્દ્રિય જ્ઞાનના અન્વેષકોનાં વર્ણન પ્રમાણે દર્યા હોય છે. તે રંગોને આ પ્રમાણે સમજવામાં આવ્યા છે: રતાશ પડતો બદામી રંગ વિષય પ્રત્યેની આસક્તિ અને લોભ સૂચવે છે. લીલાશ પડતા રાખેડી રંગ માયા અને કપટ સૂચવે છે. બદામી રંગ સ્વાર્થ સૂચવે છે. મસ્તકની ડાબી બાજુ પર રાતો રંગ ક્રોધ સૂચવે છે. મસ્તકની આજુબાજુ પીળો રંગ બુધ્ધિ સૂચવે છે. મસ્તક ઉપર ભૂરાશ પડત રાખોડી રંગ આદિમ ધાર્મિક લાગણી સૂચવે છે. ઘેરા ગુલાબી રંગની છાંટ પ્રેમને પ્રારંભ સૂચવે છે. વિકાસ થતો જાય તેમ તેમ દ્રવ્ય વધારે સૂક્ષ્મ, રંગ વધારે સ્વચ્છ, સ્પષ્ટ અને વધુ તેજસ્વી થતા જાય છે. વધુ વિકસિત સૂક્ષ્મ શરીરમાં લીલો રંગ સહાનુભૂતિ અને સમાવેશની વૃત્તિ સૂચવે છે. ગુલાબી રંગ પ્રેમ, ભૂરો રંગ ધાર્મિક લાગણી, પીળો રંગ બુધ્ધિ અને મસ્તકની ઉપર જાંબલી રંગ આધ્યાત્મિકતા સૂચવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy