________________
દેશીનામ માલા
આમા
અધ્યાયમાં
દરમ્યાન
સિદ્ધહેમના આપેલાં પ્રાકૃત વ્યાકરણની પૂર્તિ રૂપ પ્રાકૃત ભાષાનાં શબ્દોનો કોશ પણ હેમચંદ્રાચાર્યે . ૨ચ્યો. વિ.સં ૧૧૯૪-૧૨૦૦ આ ગ્રંથની રચના થઇ હોય તેવુ જણાય છે. દેશી નામ માલા એ મૂળ નામ હોય તેમ જણાતુ નથી." દેશીસદસંગહો", દેશી શબ્દ સંગ્રહ નામ હતુ એવો ઉલ્લેખ પણ જૂની હસ્તપ્રતોમાં છે. દેશીનામમાલાની ગાથાઓમાં ૩૭૮ શબ્દો મૂકેલાં છે. આ શબ્દોનું વી ક૨ણ તત્સમ, તદભવ અને દેશી શબ્દોમાં કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણ હેમચંદ્રાચાર્યે નથી કર્યું. ફૂલ ૭૮૩ ગાથાઓમાં આ ૩૯૭૮ શબ્દો ક્રમવાર મૂકેલાં જણાય છે. ગાથાઓમાં શૃંગા૨ ૨સની ગાથાઓ સવિશેષ છે. કુમારપાળ રાજ્વીના સમયમા આ ગ્રંથની રચના થઇ હશે કારણકે કુમારપાળ રાજાને લગતી ગાથાઓ ઘણી છે.. બીજા છૂટક વિષયોની ગાથાઓ કૂલ ગાથાઓના પંદર ટકા જેટલી જ છે. દેશી શબ્દોનો આ કોશ રચવામાં હેમચંદ્રાચાર્યે અનેક ગ્રંથોની સહાય લીધી હતી તેમાં દ્રોણાચાર્ય, ધનપાલ, પાદલિપ્તાચાર્ય, રાહુલક, શીલાક, સાતવાહન ઇત્યાદિના નામો છે
ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિ નં ૧નો પ્રથમ ભાગ "દેશી શબ્દ સંગ્રહ ( ૫ણાવલિ ) બેચરદાસ દોશીનો મૂળ તથા ગુજરાતી ભાષા.તર સાથે 1947માં બહાર પડેલ હતો તેના આધારે અત્રે થોડી માહિતી રજૂ કરેલ છે.
પ્રારંભે કહે છેઃ- ગમ, નય અને પ્રમાણોને લીધે જે ગંભીર-ઊંડી છે, જેના રહસ્યને સચેતન હૃદયવાળા લોકો હૃદયગત કરી શકે છે અને જે સર્વ ભાષારૂપે પરિણમનારી છે એવી જિનેન્દ્દવાની વાણી જયવતી વર્તે છે.
જે શબ્દોની સંસ્કૃત નામોમાં પ્રસિદ્ધિ નથી તથા ગૌણ અને લક્ષણ શક્તિ દ્વારા જે શબ્દોની વ્યુત્પત્તિ થઇ શકતી નથી એવા ત્રણ પ્રકારનાં શબ્દોને આ સંગ્રહમાં દેશી શબ્દો તરીકે નાધેલા છે. (૩)
Jain Education International
For Private & Personal Use Only
88
www.jainelibrary.org