________________
દ૨મ્યાન મહમદ ગઝનીએ તોયુ તે મોટી ઐતિહાસિક ઘટના છે પરંતુ દ્વયાશ્રયમાં તેનો ઉલ્લેખ નથી. ( સોમનાથનુ મંદિ૨ તૂટયું તે કદાચ ૧૦૨૫ની સાલ હશે તેમ પણ મનાય છે જો એમ હોય તો તે વખતે ભીમદેવનું રાજ્ય હશે )
હ્રયાશ્રયમાંથી તત્કાલીન રાજ્ય વ્યવસ્થા, લોકો, રહેણી કરણી, શસ્ત્રો વગેરે વિષે પણ ઘણુ. જાણવા મળે છે.
૧-નાશતાં ભાગતાં શત્રુ પ૨ પ્રહાર કરવામાં આવતો નહોતો.
૨-એક જ રાજા એકથી વધારે મંત્રી રાખતાં.
૩-૨ાજાઓ રાત્રે છૂપા વેશે નગરનાં લોકોનાં સુખદુઃખ જાણવાં નીકળતાં
૪-અર્થશાળામાં વાંદરાં પણ રખાતાં હતાં.
૫-હરણનાં શીંગડા કાપીને પછી શિકાર કરવા નીકળતા
હતા.
૬-ખાવામાં ડાંગરનો ઉપયોગ હતો.
૭-નગરવાસીઓ નાગર પણ કહેવાતા.
૮-લગ્નની રીત લગભગ અત્યાર જેવીજ હતી
૯-નવરાત્રીમાં ચંડીપાઠ કરતાં હતાં.
૧૦-પંચિકા તથા તેવી બીજી કાંકરાઓની ૨મતા હતી. ૧૧-વિષ્ણુ,શિવ, શક્તિ તથા જિન પૂજા થતી બીજા જાણવા જેવા ઉલ્લેખો
૩૬ શસ્ત્રોનાં નામ-ચક, ધનુ, વજ્ર, ખગ, ક્ષુરિકા, તોમર, કત, ત્રિશુલ, શક્તિ, પરશુ, મક્ષિકા, ભલ્લિ, ભિદીમાલ, મુષ્ટિ, લુઠિ, શંકુ, પાશ, પશિ, યષ્ટિ, કણય, કંપન, હલ, મુશલ, ગુલિકા, કર્તરી, કરપત્ર, તરવારી,, કુઘાલ, કુષ્કીટ, કોપણિ, ડાહ, ડથ્યુસ,, મુગ્દ૨, ગદા, ઘન, કરવાલિકા. આ બધાં જ શસ્ત્રો ખરેખર કેવાં હતાં તે અત્યારે ખ્યાલ આવી શકતો નથી, ઘણાં નામો તા અત્યારની ગુજરાતી ભાષામાં હવે પ્રચલિત પણ નથી
૬ પ્રકારનુ બળઃ- મૌલ, ભૃતક, શ્રેણિ, અગ્નિ, સહદ, અને આરવિક.
Jain Education International
For Private & Personal Use Only
81
www.jainelibrary.org