________________
રાખતો કારણકે ગાદીએ આવ્યો ત્યારે જયસિંહ સિદ્ધરાજી માત્રા આઠ વર્ષનો હતો.
બારમાં સર્ગમાં સિદ્ધરાજ જયસિંહે બર્બરને હરાવ્યો તેની વાત છે
તેરમાં સર્ગમાં જયસિંહની નગરચયોની તથા નાગપુત્રની વાત છે.
ચૌદમાં સર્ગમાં જયસિંહને યોગીનીઓ સાથેનો મેળાપ થયો તેને ઉલ્લેખ છે. જયસિંહે અવંતીના રાજા યશવમાં પર ચડાઈ કરી. એક રાત્રે યશવમાંએ કાલીના શબ્દો સાંભળ્યાં. "જયસિંહ જીતશે અને તું હારી જઈશ". આ શબ્દોથી ગભરાઈને યશોવમાં ભાગી ગયો. તે ધારા નગરીમાં જઈને રહો પણ જયસિંહે પ્રથમ અવતી નગરી ભાંગી અને પછી ધારા નગરી જઈને યશોવમાને કેદ કર્યો.
પંદરમાં સર્ગમાં સિદ્ધરાજ જયસિંહના જીવનની ઘણી મહત્વની ઘટનાઓને ઉલ્લેખ છે. સિદ્ધપુરમાં તેણે ૪૬ મહાલય બંધાવ્યું ત્યાં જન ચૈત્ય પણ બંધાવ્યું અને પગે ચાલીને સોમનાથની યાત્રા કરી. તેણે દેવપતન જઈને સોમનાથનું ધ્યાન કર્યું, ભગવાન શંકરે દર્શન આપ્યાં, સુવર્ણ સિદ્ધિ આપી અને સિદ્ધરાજ ઉપનામ આપ્યું તેણે પ્રભુ પાસે પુત્રની યાચના કરી પણ જવાબ મળ્યો કે તારા ભાઈના દીકરાનો દીકરો તારી ગાદીએ આવશે. સિદ્ધરાજે ગિ૨ના૨ તથા શત્રુંજયની યાત્રા કરી. બામણો માટે સિંહપુર શીહોરા ગામ વસાવ્યું, પછી અણહિલપુરમાં સહસ્ત્ર લિંગ તળાવ બંધાવવા માંડ્યું. ૧૦૮ શિવાલય તથા શક્તિ મંદિર કરાવ્યાં.
સોળમાં સર્ગમાં કુમારપાળ ગાદીએ આવ્યો તે હકીકત છે. કુમારપાળની ચડાઈના વર્ણન છે. ઉત્તરના સવાલણ ગામના રાજા અન્ના પર ચડાઈ કરી તેનું વર્ણન છે.
સતરમાં સર્ગમાં ચડાઇ કરવા જતી કુમારપાળની સેનાના વન-વિહારના વર્ણને છે.
૧૮મો સ- સેનાનું પ્રયાણ-યુદ્ધ તથા અણે રાજની હાર
૧૯મો સર્ગ. અર્ણોરાજને માફી આપી. અર્ણોરાજે પોતાની પુત્રી જલ્પણા કુમારપાળને આપી. કુમારપાળે અણહિલપુર આવીને જલ્પણા સાથે લગ્ન કર્યું.
78
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org