SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વયાશ્રય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સહથી વિશેષ સન્માનીય ગ્રંથોમાં દ્રયાશ્રય અને સિદ્ધહેમ શબ્દાનુશાસન ગણી શકાય. યાશ્રય એક મહાકાવ્ય છે. સોલંકી વંશને ઇતિહાસ છે અને સાથોસાથ તેમના જ વ્યાકરણ ગ્રંથ શબ્દાનુશાસનના વ્યાકરણના ઉદાહરણોની સમજુતીને ગ્રંથ છે. કાવ્ય, વ્યાકરણ અને ઈતિહાસના સુભગ સંમિશ્રણને એક ગ્રંથમાં કલ્પી શકીએ તે દ્વયાશ્રયની મહત્તા સમજી શકાય. સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણની સમજુતી માટે સંસ્કૃત તૈયાશ્રય કાવ્ય અને પ્રાકૃત દ્વયાશ્રય કાવ્ય યાને કુમારપાળ ચરિત્ર ) ની રચના કરી છે. યાશ્રય નામ કદાચ બે રાજા સિદ્ધરાજ અને કુમારપાળના નામનું સૂચક છે. દ્વયાશ્રય એક મહાકાવ્ય જરુર છે પરંતુ ઇતિહાસના સંશોધકો માટે સુંદર, સંદર્ભ ગ્રંથ પણ છે અને વ્યાકરણના વિધાર્થીઓ માટેનો એક અભ્યાસ ગ્રંથ છે. સિદ્ધહેમ શબ્દાનુશાસનના સાતેય અધ્યયનના સર્વ ઉદાહરણે વ્યાકરણના ક્રમ મુજબ દ્વયાશ્રયમાં સમજાવ્યાં છે. પ્રાકૃત દ્વયાશ્રયમાં પ્રાકૃત, સૌરસેની માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશના ઉદાહરણ છે. દ્વયાશ્રયમાં માત્ર જન જ નહીં પણ હિ.દુ દેવ દેવીઓ, ત્રષિ મુનિઓ તથા શાસ્ત્ર અને પુરાણોનાં ઉલ્લેખ છે, ગ્રહો, ઉપગ્રહો અને રાશિઓના ઉલ્લેખ છે તે ઉપરાંત આર્યુવેદ, અર્થ શાસ્ત્ર, કામ શાસ્ત્ર ઇત્યાદિનાં ઉલ્લેખ છે. હિંદુ મહાકાવ્યોમાં દેખાતી ઘટનાઓના ઠેર ઠે૨ ઉલ્લેખો તેમના સર્વ ધર્મ ના સાહિત્યની અભિરુચિ પ્રદર્શિત કરે છે. મહાકવિ ભાવી અને માધે સંસ્કૃતમાં મહાકાવ્યો લખ્યાં તેની તુલના દ્વયાશ્રય સાથે ન થવી જોઈએ. કારણકે હેમાચાર્યના આ મહાકાવ્યમાં વ્યાકરણનાં ઉદાહરણો મયૉદા બાંધી લે છે. દરેક શ્લોક કે ગાથામાં જે રીતે વ્યાકરણનાં ઉદાહરણો ૨જુ થયાં છે તે જોતાં લાગે કે થાય પ્રમાણે શબ્દની પસંદગી થઈ શકે નહીં. પરંતુ આવી ત્રિવિધ કામગીરી, આટલી સુંદર રીતે કોઈ કરી શકે અને મહા કાવ્ય રચી શકે તે જ એક અદ્ભુત ઘટનાં છે. 75 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy