________________
સકલાóત સ્તોત્ર
અનુવાદ
જે ૨ાજામાં સર્વ પ્રથમ છે, જે નિષ્પરિગ્રહીઓમાં સર્વ પ્રથમ છે અને જે તીર્થંકરોમાં સર્વ પ્રથમ છે તે ઋષભ દેવ ભગવાનની હું સ્તુતિ કરું છું. ૧
વિશ્વરૂપી કમળોનાં સમૂહ માટે સૂર્ય સમાન અને જેના સ્વચ્છ એવા કેવળજ્ઞાન રૂપી દર્પણમાં સંપૂર્ણ વિશ્વ પ્રતિબિંબિત છે તેવા તીર્થંકર અજિતનાથની હું સ્તુતિ કરુ છુ,૨
દેશના સમયે વિશ્વના સઘળા પ્રાણીઓ રૂપી ઉધાનમાં પાણીની નહેર સમાન જગતનાં સ્વામી શ્રી સંભવજિનની વાણી વિજયવંતી છે. ૩ અનેકાંત મત રૂપી સમુદ્રના સમુલ્લાસ માટે ચંદ્ર સમાન જિનેશ્વર શ્રી અભિનંદન સ્વામી અનંત આનંદ આપે. ૪
દેવોનાં મુગટની શાન પર ઘસાઇને જેના નખો ચમકીલા થયાં છે તેવા ભગવાન શ્રી સુમતિનાથ આપના મનોરથો પૂર્ણ કરો ( વંદન કરવા અર્થે આવતા દેવો પ્રભુનાં ચરણે માથુ નમાવે ત્યારે તેમના મુગટો પ્રભુના નખને સ્પર્શે છે. પ્રભુનાં નખ પણ આવા સહસ્ત્ર વંદનોથી ચમકીલા થયા છે તેમ કવિ વર્ણન કરે છે.) ૫ અંતરંગ શત્રુઓના કર્મ આદિ) નાશ કરવાથી જે કમળ પત્ર સમાન લાલ થયેલ છે તેવી ક્રાંતિ યુકત શ્રી પદ્મપ્રભ સ્વામી આપની સમૃદ્ધિને પોષો. ૬ "
ચતુવિધ સંઘ સ્વરુપી વિસ્તૃત ગગનમાં સૂર્ય સમાન તથા મહા ઇન્દોથી પૂજિત ચરણો વાળા શ્રી સુપાર્શ્વ જિનેન્દ્ને નમન હો. ૭ જેમ મૂર્તિમંત શીત ધ્યાન (શુકલ ધ્યાનમાં નિર્માણ કરેલ હોય તેવી અને ચંદ્રના કિરણ પુંજોથી (સમાન) ચમકતી શ્રી જિનેશ્વર ચંદ્રપ્રભુની મૂતિ આપની સુખ સંપદા વધારે. ૮
હાથમાં રહેલા આમળાની જેમ જે કેવળ જ્ઞાનથી વિશ્વને જાણે છે એવા કલ્પનાતીત મહિમાની ખાણ સમાન શ્રી સુવિધિનાથ સ્વામી આપ ભવ્યોને બોધપ્રદ હો &
Jain Education International
For Private & Personal Use Only
43
www.jainelibrary.org