________________
સાહિત્યકારોને, ધમાંનુ રાગીને અને સંશોધકોને પ્રણા આપ્યા કરશે. પોતાના જીવનમાં એક જ માનવી આટલુ વિપુલ સાહિત્ય કઇ રીતે સજી શકે તેવા સંશયાત્મક ઉદ્ગારો પણ થયાં છે. આવા મહા પુરુષને સમજવામાં આપણો માપ દંડ જ વામણો બની રહે છે. તેમનાં લખેલાં ગ્રથોમાંના શ્લોકોનો આંકડો લાખને વટાવી જાય છે. હેમચંદ્રાચાર્યને તેમના અવસાનની જાણ છ માસ અગાઉથી થઇ ગઇ હતી. તેમણે પોતાનાગુરુ બંધુ પ્રધ્યુમનસુરિને આ વાત જણાવી હતી. તેમણાં અંતિમ દિવસોમાં તેમણે અનશન વ્રત અંગીકાર કર્યું હતુ. સકલ સંઘની, રાજાની અને પ્રજાની તેમણે ક્ષમા માગી હતી મૃત્યુની નિશ્ચિતતા અને દેહની ક્ષણભંગુરતા વિષે કહ્યુ હતુ. તેઓના જીવનનો મહત્વનો ભાગ પાટણમાં જ વ્યતિત થયો હતો. તેઓ પાટણમાંજ કાળ ધર્મ પામ્યા. વિ.સં. ૧૨૨૮માં, બહમરંધ્ર દ્વારા એમના આત્માએ દેહ ત્યાગ કયો હતો. કુમારપાળ મહારાજા સ્વયં તેમના અગ્નિ સંસ્કાર સમયે આવ્યાં હતાં અને તેમની પાવન કારી ભસ્મ કપાળે લગાડી તિલક કર્યું હતું. આ રાજાને લાગેલા આધાતની કલ્પના જ કરવી રહી. તેનું કર્તવ્ય પાટણની રાજયરા સંભાળવાનુ હતુ. પોતાના ગુરુએ આપેલાં આદશો અનુસાર તે પોતાનુ કર્તવ્ય બજાવવા તત્પર થયો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતનાં જ નહીં સમગ્ર ભારતનાં અને વિશ્વના એક ઉંચી કોટિના મહા વિદ્વાન છે. તેઓને જૈન કહેવા તે કરતા પ૨મધમી કહેવા તે વધારે સુયોગ્ય છે. અહિંસા, જીવ દયા, સર્વ ધર્મ સમભાવ અને ન્યાયી ૨ાજય પદ્ધતિનો તેમણે ઉપદેશ આપ્યો તેમનાં સાહિત્યમાં કાવ્ય-રસ છે, ભકિત રસ છે, વ્યાકરણ અને શબ્દ કોશો છે. કથાનુયોગ અને ઇતિહાસ છે તો વળી યોગ શાસ્ત્ર પણ છે. જૈન ધર્મનાં અનેક વિષયોની છણાવટ સાથે વિવિધ પાશાને તેમણે આગવી રીતે સમજાવેલાં છે. તેમનાં કાવ્યોમાં સર્વ પ્રકારનાં સો દષ્ટિગોચર થાય છે. વીર રસને લગતાં તળપદી પ્રાકૃત કે અપભંશના કાવ્યો, તત્કાલીન ગુજરાતી પુરુષનાં પૌરુષત્વને અને નારી સૌંદર્યને પણ આલેખે છે. એક વીતરાગી સાધુ હોવા છતાંયે શૃંગા૨ ૨સના અનેક ઉદાહરણો તેમણે ટાંકેલાં
39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org