________________
રાખનાશ આચાર્યને ગોવાળીયા જેવા ગણીને ઉપહાસમાં પણ આમ કહેવાયું હોય તે શકય છે , એ ગમે તે હોય પરંતુ તેમણે પરિસ્થિતિ સાચવી લીધી હતી. પોતે ગોવાળ છે તે વાત તેમણે તરતજ સ્વીકારી લીધી. પરંતુ પોતે વિશિષ્ટ પ્રકારનાં ગોવાળ છે. 'જિન ધર્મના ગોચરમાં ષડુ દર્શનના પશુઓને ચારનારો હું ગોવાળ
છું. આટલી હાજર જવાબી કોઈ મહા વિદ્વાનમાંજ હોઈ શકે. સિદ્ધરાજને હેમચંદ્રાચાર્ય પર અનહદ માન હતું. આથી રાજય દરબારમાં જનોનું માન વધ્યું સિદ્ધરાજને પુત્ર સુખ નહોતુ . તેથી તેણે યાત્રાએ જવાનો વિચાર કર્યો. હેમચ દ્રાચાર્ય સાથે ગયાં. સિદ્ધરાજને મહારાજા હતો તેથી તે ઠાઠ-માઠથી વાહનમાં બેસીને નીકળ્યો.. હેમાચાર્ય તો જન સાધુ હતાં, તેતો વાહનનો ઉપયોગ કરે નહીં, તેઓ પગપાળા ચાલતા હતા. રાજાએ તેમને વાહનનો ઉપયોગ કરવાની શીખામણ આપી, વિનંતિ કરી પણ હેમચંદુ માન્યા નહી તેથી રાજાએ કટુતાથી તેમને જડ કથા. આચાર્યો જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે અમે જડ નહી નિજડ છીએ. આ પછી ત્રણ દિવસ સુધી તેઓ રાજાને મળ્યા નહી. રાજાએ ગુરુના તંબુમાં તપાસ કરાવી તો તેને ખ્યાલ આવ્યો કે ગુરુ તે સમયે આયંબીલા કરતા હતા. ગુરુને આવુ શુષ્ક, જડ ભોજન કરતાં જોઈને રાજાને આ જડતા એતો ઈન્દ્રિય પ૨નો વિજ્ય છે અને વીતરાગ ભાવ છે તેવી ખાત્રી થઈ. રાજાએ તેમની માફી માગી. સિદ્ધરાજે હેમચંદ્રાચાર્ય સાથેજ શત્રુંજયની યાત્રા કરી. ત્યાંથી તે રેવતાચલ ગિરનારુ આવ્યો ગિરનાર પર ભગવાન નેમિનાથનું અતિ સુંદ૨ અને ભવ્ય એવુ શ્વેત દેવાલય જોયું. આ પ્રાસાદ થી પ્રભાવિત અને પ્રફુલ્લિત થયેલાં સિદ્ધરાજે તરતજ કહ્યું
28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org