SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જશે તેમ કહ્યું.. યશોમતી હરખાતી હરખાતી તે બતાવેલી જગ્યાએ આવેલા ઝાડ પાસે ગઈ, પરંતુ ત્યાં અનેક નાના મોટા છોડ અને ઘાસ ઉગી નીકળ્યાં હતાં. કઈ ઔષધિ સાચી છે તે તેને ખબર નહોતી તેથી ત્યાં ઉગેલા સઘળાં જ છોડ -ઘાસ તેણે બળદને ખવરાવી દીધા. આમાં શંકર ભગવાને કહેલ ચમત્કારિક ઔષધિ પણ હતી તેથી તેનો પતિ બળદમાંથી પુનઃ મનુષ્ય થઈ ગયો. આ વસ્તુ વિગતવાર હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજને સમજાવી. ઔષધિ એટલે સત્ય - ધર્મ. આ શું છે તે ખ્યાલ ન હોયતો બધા જ ધર્મોના સારા તત્વોનાં આચરણથી સત્ય ધર્મ મળવાનો છે તે નકકી છે. આવું સર્વ ધર્મ સમભાવનું સુંદર ઉદાહરણ સાંભળી રાજા ખુશ થયો. હેમચંદ્રાચાર્યના જીવનનો બીજો એક પ્રસંગ જૂદા જૂદા ગ્રંથોમાં જુદી જુદી રીતે આપેલો છે એકવાર કાશીથી આવેલા વિશ્વેશ્વર નામના પંડિતે હેમચંદ્રાચાર્યનો આ રીતે પરિચય આપ્યો. પાતુ વો હેમગોપાલઃ કેબલ દન્ડમુઘ્નહન I " કામળો અને દંડ ધારણ કરનારા હેમ ગોપાલ તમારી રક્ષા કરે. હેમચંદ્રાચાર્યે આ અધો શ્લોક ત્યાંજ પૂરો કરી નાખ્યો. “ષ દર્શન પશુ ગામ ચારયન જન ગોચરે | " =આ ગોપાલતે જન ગોચરમાં છ દર્શનના પશુઓને ચારી રહ્યો છે. આ નાનકડા પ્રસંગમાં તેમની વિદ્વતા અને સમયને અનુરૂપ પ્રત્યુત્તર આપવાની શકિતનાં આપણને દર્શન થાય છે. ઉપરનો શ્લોક ખરેખર કોણે અને કેવા સંજોગોમાં કહી હતી તે વિષે ભિન્ન ભિન્ન ઉલ્લેખ છે. પંડિત દેવબોધિએ આ શ્લોકને પ્રથમ ભાગ કહ્યો હતો તેમ પણ ઉલ્લેખ છે. કદાચ રાજ્ય સભામાં સહુ સુંદર વેશભૂષામાં સજજ થઈને બેઠા હશે ત્યારે કામળો ઓઢેલા અને હાથમાં દડો 27 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy