________________
સાધુ હતા, તેમને અન્ય ધર્મો પ્રત્યે દ્વેષભાવ નહોતો. તેમના જીવનમાં સ્થળે સ્થળે તેમના સર્વ ધર્મ સમભાવની દષ્ટિ જોવા મળે છે. તેમનું રચેલ મહાદેવ સ્તોત્ર તે આ વાતનો સબળ પૂરાવો છે. મહાદેવ સ્તોત્રમાં તેમણે શંકર ભગવાનની સ્તુતિ સરળ ભાષામાં કરી છે. બહમા, વિષ્ણુ શંકર કોને કહેવાય તે સમજાવેલ છે. આ
સ્તોત્રનો છેલ્લો શ્લોક પ્રખ્યાત છે અને તે હેમચંદ્રાચાર્યની દીર્થ દષ્ટિ તથા સર્વ ધર્મ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે
भवबीजाऽकुरजनना. रागादयः क्षयमुपगता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै । "ભવના મૂળ કારણ રૂપ રાગ દ્વેષ જે દેવના નષ્ટ થયા છે તેવા દેવ તે બહમા હોય વિષ્ણુ હોય શંકર હોય કે ન હોય, કોઈ પણ હોય તેને મારા નમસ્કાર છે જ્યારે હેમાચાર્ય કુમારપાળના આમંત્રણથી પ્રભાસ પાટણ ગયાં ત્યારે શિવ મંદિરમાં તેમણે આ શ્લોક ઉચ્ચાયો હતો તેમ કહેવાય છે. હેમચંદ્રાચાર્યું અનેક પ્રસંગે બીજા ધર્મની. ખાસ કરીને હિંદુ ધર્મની પ્રશંશા કરી છે અને સર્વ ધર્મ સમભાવનો મહિમા ગાયો છે. એક પ્રસંગે સિદ્ધરાજે હેમાચારને રાજયસભામાં પપ્ન પૂછયો જગતમાં કયો ધર્મ સંસારથી મુકત કરનારો છે ? આવા સીધાજ પ્રખનો સીધો ઉત્તર આપીને તથા કોઈ એક ધર્મનું નામ દશાવીને આચાર્યશ્રી સંકુચિતતા દાખવે તે અશકય બીના હતી. તેમણે પુરાણના શંખાખ્યાનમાંથી આનો ઉત્તર આપ્યો
तिरोधीयत दर्भाधैर्य था दिव्य तदौषधम् । तथाऽमुष्मिन् युगे सत्यो धर्मो धर्मान्तरैर्नृप! ।। पर समग्रधर्माणां सेवनात् कस्यचित् क्वचित् । जायते शुद्धधर्माप्तिदर्भच्छन्नौषधाप्तिवत् ॥
25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org