SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ तथा हृत्पद्ममध्यस्थं शन्दब्रह्मेककारणम् । स्वरव्यंजनसंवीत वाचकं परमेष्ठिनः ॥ ३० ॥ मूर्द्धसंस्थितशीतांशुकलामृतरसप्लुतम् । कुंभकेन महामंत्रं प्रणवं परिचिंतयेत् ॥ ३१ ॥ =હૃદયપધ્ધની મધ્યમાં રહેલાં, શબ્દ બહમના કારણ, સ્વર, વ્યંજન સાથેના, પરમેષ્ઠિ પદના વાંચક, મસ્તકે રહેલા ચંદ્રના કળાના અમૃતથી ભીંજાયેલા, પ્રણવ ( ) મહામંત્રને કુંભક કરીને પરિચિતવવો. ( થાસ રોકીને કલ્પવો કે હવે પછી કલિકાલ સર્વજ્ઞા આચાર્ય પંચપરમેષ્ઠિ ધ્યાનના વિવિધ મત્રો દર્શાવે છે. પંચ પરમેષ્ઠિને જેમાં નમસ્કાર કયાં છે તે નવકારમંત્રનું ચિંતવન કરવું. નવકાર મંત્રનું ધ્યાનઆઠ પાંખડીઓનું સફેદ કમળ ચિતવવું. તે કમળની મધ્યમાં સાત અક્ષરવાળા નમો અરિહંતાણં પદનું ચિંતવન કરવું. ચાર દિશાના પત્રોમાં બાકીના ચાર આ રીતે – પૂર્વ દિશામાં નમો સિદ્ધાણ. દક્ષિણ દિશામાં નમો આયરિયાણ, પશ્ચિમ દિશામાં નમો ઉવજ્જાયાણ, ઉત્તર દિશામાં નમો લોએ સવ્વ સાહૂણં તથા વચ્ચે વચ્ચેની ચાર પાંખડીઓમાં બાકીના ચાર વાકયો- અગ્નિ ખૂણામાં એસો પંચ નમુકકારો, નૈત્રત્યમાં સવ્વ પાવ પણાસણો, વાયવ્યમાં મંગલાણચ સવૅસિં અને છેલ્લે ઈશાન ખૂણામાં પઢમં હવઈ મંગલ સ્થાપવા. પંચ પરમેષ્ઠિના આ મંત્રો અન્ય ઘણી રીતે યોગશાસ્ત્રમાં બતાવ્યાં છે. માત્ર ૬ અક્ષરનું ધ્યાન એટલે અરિહંત-સિદ્ધ, પાંચ અક્ષરનું ધ્યાન એટલે અસિઆઉભા ( અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય , સાધુના પહેલાં અક્ષશે ), સાત અક્ષરનું ધ્યાન એટલે નમો અરિહંતાણનું ધ્યાન વગેરે. આ મંત્રો ઉપરાંત હું કાર વિધા, ક્ષિ વિધા, શશિકલાનું ધ્યાન, પ્રણવ. શૂન્ય અને અનાહતનું ધ્યાન ઇત્યાદિ ધ્યાનના શ્લોકો છે. વિદ્ધ શાંતિ વિદ્યા, પાપભક્ષિણી વિધાના મંત્ર છે. આ મંત્રો વિષે અત્રે ઉલ્લેખ કરવાનું બિન આવશ્યક હોઈ આઠમા પ્રકાશના અંતિમ શ્લોકો ભણી દેષ્ટિ કરીએ. isi Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy