________________
ગમનને રોકવાથી સર્વ પ્રકારના કર્મો રોકાય છે. અને જેણે મનને કાબુમાં રાખ્યું નથી તેના કર્મો વધતાં જ જાય છે. આગળ ચાલતાં પૂજ્ય આચાર્યશ્રી “મન કપિ અય' કહીને મનને વાંદરાની ઉપમા આપે છે. આ વાંદરો લંપટ છે અને વિશ્વ પરિભ્રમણના હેતુ૫ છે તેને પ્રયત્નથી રોકી રાખવો મનઃસહેલાઇથી કાબમાં ન રહે તે પ્રયત્ન પૂર્વક કાબુમાં રાખવું રહ્યું.મન કાબમાં રહી શકે અને અને મન શુદ્ધિ થઈ શકે એટલે વિચારોમાં નિર્મળતા આવે, કોઈનાયે પ્રતિ રાગ દ્વેષ ન રહે. સાચા અને સારા કાર્યોમાં મન પરોવાયેલું રહે તથા આધ્યાત્મિક વલણ પ્રગટે. મન શુદ્ધિ થાય તોજ ધ્યાન સફળ થાય. મન શુદ્ધિ વગર મોટા તપસ્વીઓના ધ્યાન પણ નિરર્થક બની રહે છે. બાણ ઉપવાસો અને માત્ર આસન કે પ્રાણાયામથી ધ્યાનની લધ્ધિ થતી નથી. મન શુદ્ધિ વગરનાં આ કષ્ટદાયક ઉપાયો જ બની રહે છે. મનશદ્ધિના કેટલાંક ઉપાયો વર્ણવેલા છે. તેમાં પ્રથમ આવે છે સમભાવ. નિવાણપદની આકાંક્ષા સેવનારાઓએ સમભાવપી શસ્ત્ર વડે રાગ અને દ્વેષનો વિજય કરવાને છે. પ્રાણી માત્ર પ્રત્યે એકસરખો ભાવ રાખવો તેટલું જ નહીં પણ માનવ માનવમાં પણ શત્રુ હોય કે મિત્ર હોય સહુ પ્રત્યે સરખો આદરભાવ રાખવો. સમભાવના અવલંબનથી કર્મનો નાશ કરી શકાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે સમભાવથી ખરેખર કમોંનો નાશ થાય ખરો કે? અને થાય તો કઈ રીતે થાય ? સમભાવ હોયતો સ્વાર્થવૃતિ હોતી નથી. મારા તારા પણાની ભાવના હોતી નથી. નિરાલંકારિત્વ હોય છે. કોઈ પોતાને ગાળ દે કે પ્રશંસા કરે, સમભાવી જીવ માટે બધું જ સરખું હોય છે તેના માટે તો માત્ર દેહ જ નહીં પરંતુ સંસારની માયા પ્રત્યે પણ મારા તારાપણું હોતું નથી. નિંદા અને પ્રશંશાની ભાવના દેહ પ્રત્યેના મમત્વ સાથે સંકળાયેલી હોય છે. આ મમત્વ ચાલ્યું જાય તે નિંદાથી દુખ નથી થતુ અને પ્રશંશાથી ફૂલાઈ જવાતુ નથી. સમભાવની સાચી વ્યાખ્યા જ આ છે. સ્વ પ્રત્યે અને પ૨ પ્રત્યે
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org