________________
ચતુર્થ પ્રકાશ ચોથા પ્રકાશના પ્રારંભે હેમચંદ્દાચાર્ય આત્મજ્ઞાન વિષે વાત કરે છે, જે આત્માથી આત્માને ઓળખે છે, તે જ સત ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે. આત્મભાવમાં રહેવાની વાત, સ્વ સ્વભાવમાં રહેવાની વાત જેમ દગબર આચાર્ય કુંદકુંદાચાર્ય તેમના સમયસાર ગ્રંથમાં સમજાવે છે તેમ અહી સર્વજ્ઞ એવા હેમચંદ્રાચાર્ય તે જ વાત વિશિષ્ટ રૂપે યોગશાસ્ત્રમાં વણી લે છે.
अयमात्मैवः चिपः शरीरी कमयोगतः । ध्यानामिदग्धकर्मा तु सिद्धात्मा स्यानिरंजनः ॥४॥
પોતાના સ્વ સ્વભાવમાં રહેલો આ આત્મા જ કર્મના યોગથી શરીરને ધારણ કરે છે અને તે ધ્યાનના અગ્નિથી કર્મને બાળીને નિરંજન સ્વલ્પ સિદ્ધાત્મા થાય છે. આત્મા સ્વયં પોતે જ શુદ્ધ, બુદ્ધ હોય છે તે આત્મા સ્વભાવમાં (આત્મભાવમાં સ્થિત હોય છે. શુદ્ધાત્મા કર્મથી ખરડાય છે અને કર્મના સંયોગે દેહ ધારણ કરીને ચાર ગતિના ફેરા ફરે છે. ધ્યાનનો પ્રબળ અગ્નિ આવા કર્મબંધનોને છેદી નાખવા , બાળી નાખવા સમર્થ છે. કર્મની નિર્જશ થાય ત્યારે આત્મા ફરી પાછો નિજ સ્વરુપમાં આવે છે. આત્માની દેહ રહિત અંતિમ અવસ્થા એટલે જ સિદ્ધગતિ કે મોક્ષ. યોગમાં અંતિમ ધ્યેય તે ધ્યાન દ્વારા સિદ્ધગતિ જ મેળવવાનું છે. યોગ તે સાધન છે, સાધ્ય છે મોક્ષ..યોગ દ્વારા ધ્યાન પ્રાપ્તિ થાય છે. ધ્યાનથી કર્મની નિર્જરા થાય છે. સંસારી જીવ યોગની સાધના વ્યવસ્થિત રીતે જ કરી શકે. કરવી જોઇએ. ચમ અને નિયમ પ્રથમ આવે. ક્રોધ-લોભ-મોહ-માન પી કષાયોને જીતવા જોઈએ. સાચા અર્થમાં ગૃહસ્થ ધર્મ પાળવો અને ઈન્દ્રિયોને વશમાં રાખીને જીવવું તે જ ખરેખર તે યમ અને નિયમ કહેવાય. મનની શુદ્ધિ ન હોય તો માત્ર શરીર શુદ્ધિનો અર્થ નથી. મનની શુદ્ધિ વગરનાં ચમ-નિયમ કષ્ટદાયક બની રહે છે
मनोरोघे निरूध्यंते कर्माण्यपि समंततः । अनिरुद्धमनस्कस्य प्रसरंति हि तान्यपि ॥३८ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelib 140rg