________________
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરીને તથા જાણી જોઈને કરેલા કર્મોનો ત્યાગ કરીને એક મુહુર્ત પયંત જે સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહે છે. સામાયિક એ જન ધર્મની અણમોલ ભેટ છે. સર્વ પ્રકારના સાવધ વ્યાપારોનો ત્યાગ કરીને એટલે કે મન, વચન, કાયાની કર્મ જન્ય પ્રવૃતિઓ છોડી દઈને સમભાવમાં સ્થિત થવું. આ સમયે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ન કરવાં એટલે કે ખોટા સંકલ્પ- વિકલ્પ, શોક, ભય ચિંતા, પ્રલાપ છોડવા તે આર્તધ્યાનનો ત્યાગ કર્યો કહેવાય. ગુસ્સો ઈષ્ય છોડવા તે રૌદ્રધ્યાનનો ત્યાગ કહેવાય. આ બંને ધ્યાન અપધ્યાન છે તેથી ત્યાજ્ય છે. જેન ધર્મ તો કહે છે કે જયારે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થાય ત્યારે આપોઆપ ધર્મધ્યાન પ્રગટે છે. સામાયિકનો સમય બે ઘડી એટલે એક મુહૂર્તનો છે આટલા સમય દરમ્યાન એકાંતમાં શાંત જગ્યાએ શાંતિથી સમતા ભાવ કેળવીને સ્વાધ્યાય છે. કરવા તે સામાયિક છે. સામાયિકથી કર્મ નિર્જરા થાય છે ૧૦ દશમ વ્રત દેશાવકાશિક વ્રત છે. આ વ્રત છઠ્ઠા દિકવિરતિ વ્રતની વિસ્તાર સમાન છે. છઠ્ઠા વ્રતમાં કઈ દિશાએ, જ્યાં સુધી કેવી પ્રવૃતિ કરવી તેનો સર્વ સામાન્ય નિયમ છે. આ નિયમ હમેશ માટેનો હોય છે. દશમાં વ્રતમાં રોજ બ રોજ જરૂરિયાત મુજબ નિયમ લેવાની વાત છે દા.ત. છઠ્ઠા વ્રત પ્રમાણે કોઈને એવો નિયમ હોય કે મારા ક્ષેત્ર ૩૦૦ કિલોમીટર સુધી છે તો દસમાં વ્રતમાં અમૂક દિવશો પુરતુ તે ક્ષેત્રને હજીયે ઘટાડી શકાય અને તે પુખ્ત વ્રત ગ્રહણ કરી શકાય. ૧૧. પૌષધ વ્રતપષધનો મહિમા ખૂબ જ છે. શ્રાવકે પર્વના દિવસે યા તો અમૂક પસંદગીના દિવસે સાધુની જેમ જીવન ગાળવું જોઈએ. પૌષધ શાળામાં કે ઉપાશ્રયમાં જઈને આ વ્રતનું પાલન કરવું વધારે ઉચિત
૧૨ છેલ્લું વ્રત- અતિથિ સંવિભાગ વ્રતસાધુઓને અને અતિથિઓને ચાર પ્રકારે દાન કરવું. આહાર, પાત્ર, વસ્ત્ર અને રહેવાની જગ્યા. આ વ્રતને અતિથિ સંવિભાગ વ્રત કહે
છે.
138
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org