SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગ સ્તોત્રના પ્રથમ પ્રકાશમાં પ્રથમ શ્લોકમાં આચાર્યશ્રી પરમાત્માને પંચ પરમેષ્ઠિમાં પ્રધાન સ્વરુપે ઓળખાવી તેમના સૂર્ય સમાન ઉધોતનો ઉલ્લેખ કરે છે यः परात्मा परंज्योतिः, परमः परमेष्ठिनाम् । आदित्यवर्ण तमस , परस्तादामनन्ति यम् ॥१॥ હવે બીજો શ્લોક આ પ્રમાણે છે सर्वे येनोवमूल्यन्त समूलाक्लेशपादपाः । मा यस्मै नमस्यन्ति, सुरासुरनरेश्वराः ॥२॥ જેણે સમસ્ત રાગ દ્વેષ રુપી કલેશ કા૨ક વૃક્ષો સમૂળગા ઉખેડી નાખ્યા છે અને જેને સુર અસુર તથા નરોમાં શ્રેષ્ઠ એવા મસ્તકે નમી પ્રણામ કરે છે ૨ જેનાથી પુરુષાર્થ (ધર્મ અર્થ કામ અને મોક્ષને સાધતી વિધાઓ પ્રવર્તમાન છે અને જેનું જ્ઞાન ભૂત, વર્તમાન અને ભવિષ્યને પ્રકાશિત કરનારું છે. જેનામાં વિજ્ઞાન, આનંદ અને બહમ એકત્વને પામેલ છે તેવા શ્રદ્ધા કરવા યોગ્ય છે. ધ્યાન ધરવા યોગ્ય છે તેમને હું શરણે જઉ છું ( અહી વિજ્ઞાન એટલે કેવળજ્ઞાન. આનંદ એટલે પરમસુખ અને બ્રહ્મ એટલે પરમ ગતિ એમ અર્થ છે ) દ્વિતિય પ્રકાશમાં ભગવાનના અતિશયો ૮ શ્લોકમાં વર્ણવ્યાં છે . આ અતિશયોનું અહીં વર્ણન છે. આઠેય શ્લોકોનો અનુવાદહે પ્રભુ, પ્રિયંગુવત, સફટિક સમાન, સોના સમાન , ૨કત રંગી અને શ્યામ રંગી એવો આપનો દેહ, ધોયા વગરનો હોવા છતાયે જે પવિત્ર છે તે દેહ કોને ચકિત ન કરે ? ૧ કલ્પવૃક્ષની માળાની જેમ સુગંધી એવા આપના અંગ ઉપર ભમરની જેમ જ દેવાંગનાનાં નયનો ફરી રહ્યા છે. ૨. હે નાથ , દિવ્ય સુધા-૨સના આસ્વાદથી થયેલી તૃપ્તિથી હારેલા હોય તેમ રોગ રુપી સર્પો આપના અંગે વ્યાપી શકતા નથી. આપ રોગ રહિત છો. ૩ આસીમા પ્રતિબિંબિત રુપની જેમ આપનામાં અન્ય મળ તે નથી પણપરિશ્રમથી ટપકતાં પ્રસ્વેદ બિંદુઓથી રહિત છો. આ કાયાની તે વાત જ શી કરવી ? ૪ 110 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy