________________
હેમચંદ્રાચાર્ય વિષે ઉદગારો
સૂર્યોદય સમયે સરસ્વતી નદી કિનારે ઉભેલી એક મહાન શક્તિ, પોતાના પ્રકાશથી તેજથી આખા ગુજરાતને છાઇ દેતી કલ્પો અને તમને હેમચંદ્રાચાર્ય દેખાશે. શ્રી ધૂમકેતુ હેમચંદ્રાચાર્ય ગૌરવવતા હતાં, પૂર્ણ યોગી હતાં, ઉત્કૃષ્ટ જીતેન્દ્રિય હતાં, અત્યંત દયાળુ હતાં, મહા પરોપકારી હતાં, પૂશ નિસ્પૃહી હતાં, નિષ્પક્ષપાતી હતાં, સત્યના ઉપાસક હતાં અને કલિકાલમાં સર્વજ્ઞ હતાં -મુનિ જીનવિજયજી હેમચંદ્રાચાર્યને એમનાં અદ્વિતીય ગુણોને લીધે કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. તેઓ મહાન આચાર્ય હતાં, મહાન વૈયાકરણી હતાં, મહાન સયમી સાધુ હતાં- એમ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં એમના કાર્ય માટે ભિન્ન ભિન્ન વિશેષણો પ્રયોજવા કરતાં કલિકાલ સર્વજ્ઞ એક જ વિશેષણમાં તેમના તમામ ગુણો શમાઇ જાય છે. -મુનિશ્રી પૂણ્યવિજયજી.
શ્રી હેમચંદ્ સ્વર્ગે ગયાં અને વિદ્યુતા હવે નિાધાર બની ગઇ. -પડિત સોમેશ્વર દેવ.
ભારત વર્ષનાં પ્રાચીન વિદ્વાનોની ગણનામાં જૈન શ્વેતાંબરાચાર્ય શ્રી હેમચંદ્રસુરિએ ઊંચુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્કૃત સાહિત્ય અને વિક્રમાદિત્યના ઇતિહાસમાં જૈ સ્થાન કાલિદાસનું અને શ્રી હર્ષના દરબારમાં બાણભટ્ટનુ છે, પ્રાયઃ તે જ સ્થાન ઇસ્વીસનની બારમી સદીમાં ચૌલુક્ય વંશી સુપ્રસિદ્ધ ગૂર્જર નરેન્દ્ર શિરોમણિ સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસમાં હેમચંદુનુ છે. પંડિત શિવદત્ત શમાં
9
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org