SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યાનુશાસનમાં ઉતારી છે આ ગ્રંથના કુલ આઠ અધ્યાયો તથા કુલ ૨૦૮ સૂત્રો છે. તેમાં કમ આ પ્રમાણે છે. પ્રથમ અધ્યાયમાં ૨૫, બીજા અધ્યાયમાં ૫૯, ત્રીજામાં ૧૦, ચોથામાં ૯. પાંચમામાં ૮, છઠ્ઠામાં ૩૧, સાતમામાં પ૨, તથા આઠમાં અધ્યાયમાં ૧૩ સૂત્રો છે આ રીતે કૂલ ૨૦૮ સૂત્રો છે. ગ્રંથના ત્રીજા સૂત્રમાં કાવ્યનું અભિધેય વર્ણવેલ છે. તેમાં કાવ્યનાં ત્રણ પ્રયોજન ગણાવ્યાં છે. ( ૧ )આનંદ ( ૨ )યશ ( ૩ પ્રકાંતા લ્યતયા ઉપદેશ. લોકોત્તર કવિ કર્મ એટલે કાવ્ય તેના ઉપરનાં ત્રણ ઉદ હોઈ શકે છે.આનંદ, યશ અને મધુર ઉપદેશ. મમ્મટે ઉપરનાં ત્રણ ઉપરાંત બીજા ત્રણ ગણાવ્યાં છે. (૪) ધન પ્રાપ્તિ (૫) દુન્યવી જ્ઞાન છે પાપ મુક્તિ. હેમાચાર્ય જો કે પ્રથમ ત્રણ ઉદેશ જ વર્ણવે છે. ચોથુ સૂત્ર કાવ્યના હેતુમાં મુખ્ય "પ્રતિભા" છે તેમ કહે છે આ પ્રતિભા" એટલે શું ? આચાર્યશ્રી કહે છે કે પ્રતિભા એટલે નવ નવોલ્લેખ શાલિની પ્રજ્ઞા એટલે કે નવી નવી વસ્તુઓની કલ્પના કરવાની બુદ્ધિ તેનું નામ પ્રતિભા. આ પ્રતિભા કઈ રીતે સચેત બને ? આચાર્યશ્રી સાતમા સ્ત્રમાં કહે છે વ્યુત્પત્તિ અભ્યાસાચ્ચાં સંસ્કાયા" એટલે કે જ્ઞાન તથા પ્રયત્નથી (અધ્યયનથી) પ્રતિભા જાગૃત થાય છે. આગળ જતાં વ્યુત્પત્તિનો અર્થ કરે છે. વ્યુત્પત્તિ એટલે આ લોકનાં શાસ્ત્રો જેવા કે શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ, તર્ક, નાટક, અર્થ, કામ, યોગ વ. ના ગ્રંથો. અહીં અભ્યાસ અધ્યયનના પ્રેકટીશ) અર્થમાં લખેલ કાવ્યનાં લક્ષણો - શબ્દ, અર્થ, ગુણ, દોષ અને અલંકાર આ પાંચ લક્ષણ છે.હવે કાવ્યમાં રસ શું છે તે વિષયની છણાવટ કરે છે. વિભાવ, અનુભાવ, વ્યભિચાર આદિ ૨સનાં લક્ષણો છે એટલે કે 102 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy