SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. માનવ અને દેવ ] [ ૧૦૫ આપણે ત્યાં શાલિભદ્ર અને ભદ્રા માતાની બહુ પ્રચલિત કથા છે. માતા અને પુત્રને દેવલોકમાંથી દરરોજ નવ્વાણું પેટીઓ આવતી, પરંતુ તેમાં કોઈ જગ્યાએ એ ઉલ્લેખ નથી આવતો કે માતા અને પુત્ર દેવને પ્રસન્ન કરવા મહાપૂજન કે કઈ બીજી સાધના કરી હોય. કથા એવી છે કે શાલિભદ્રને પિતા જેને પત્ની અને પુત્ર પ્રત્યે અત્યંત રાગ હતો, તે મૃત્યુ બાદ દેવલેકમાં ગયે અને રાગના કારણે આવી પેટીઓ દરરોજ ત્યાંથી મોકલતો હતો. એટલે આમાંથી જે તત્ત્વ ગ્રહણ કરવાનું છે તે તો એ છે કે આપણે આપણું પુરુષાર્થ દ્વારા એવું શુભ કર્મ કરવું કે જેથી આપણને જરૂરી વસ્તુ માટે ભીખ માગવા જવાને બદલે એ વસ્તુ જ આપણા બારણું ખખડાવતી આપણે ત્યાં આવે. દેવો કે દેવીઓને પૂજન, મુદ્ર માનતા કે બાધા દ્વારા નથી રીઝવી શકાતાં. એમને રીઝવવા તે આપણે આપણું ચારિત્રનું ઘડતર ઉત્કૃષ્ટ કોટિનું કરવું જોઈએ. તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે દેવે પણ નિર્મળ અને સુંદર (બ્રહ્મચર્ય પાલનના અર્થમાં) ઉત્કૃષ્ટ કોટિનાં ચારિત્રશીલ બ્રહ્મચારીને વંદન કરે છે અર્થાત્ તેઓના દાસ બને છે. આખરે દેવે પણ કર્માધીન છે. દેવલોકનું તેમનું આયુષ્ય પૂર્ણ થતાં એક સેકન્ડ પણ તેઓ દેવકમાં રહી શકતા નથી. કર્માનુસાર દેવ અને દેવીઓને પણ બીજી એનિમાં જન્મ લેવું પડે છે, કારણ કે દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ થતાં કોઈને મોક્ષ થઈ શકતો નથી. દેવ અને દેવીઓની સહાય વિના આપણે ન જ રહી શકતાં હોઈએ તે, દુઃખ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy