SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] [ જાણ્યું અને જોયું જરૂરિયાત શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ જાતની શરત વિના જ પૂરી પાડે છે. આમ છતાં પુત્ર જે કઈ પણ શરત કરવા તૈયાર થાય, તો તેને અર્થ એટલે જ કે પુત્રમાં માતા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસનો અભાવ છે. આમ થશે તો આમ કરીશ એ વાત જ ધંધાદારી સોદા જેવી છે અને તેમાં ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસનો સદંતર અભાવ છે. આપણા દેવ-દેવીઓ જેને માટે આપણને સંપૂર્ણ માન, પ્રેમ અને ભક્તિ ભાવ હેય તેની સાથે આવા સોદા કરવા તે તે એક પ્રકારની ચકખી છેતરપિંડી જ કરવા જેવું છે. તાત્વિક દષ્ટિએ તો દેવ-દેવીઓની સહાય શોધવી એ પણ એક પ્રકારની પરાધીનતા અને કંગાલતા છે. ભ. મહાવીરના જીવનની એક વાત છે. દીક્ષાના પ્રથમ દિવસે કુમાર ગામે, ગામની બહાર ભગવાન મહાવીર ધ્યાનસ્થ દશામાં હતા ત્યારે, એક ગોવાળિયે બળદની રાશ ઉપાડી ભગવાનને મારવા દોડ્યો, એ વખતે ભગવાનને બચાવવા ઈન્દ્ર ત્યાં દેડી આવ્યા પણ ભગવાને તેને સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે : “હે ઈદ્ર! કર્મ ક્ષયના માર્ગમાં બીજા કોઈની મદદ કામ લાગતી નથી. મારા પૂર્વ કર્મોનો ક્ષય મારે તેના ફળ ભોગવીને જ કરવો પડવાને છે, માટે તારે આ પ્રકારે મારી પાછળ ફરવાનું કોઈ પ્રજન નથી.” વગર ઈચ્છાએ સામેથી દેવની આવતી મદદનો ભગવાને જ્યારે અસ્વીકાર કર્યો છે, ત્યારે ધંધાદારી દૃષ્ટિની માફક આપણે દેવની સહાય શોધવા જાત જાતના પૂજને અને વિધિ વિધાનો કરીએ છીએ, એ હકીકત ભગવાનના અને આપણું જીવન વચ્ચે કેવી કરુણ અસંગતતા બતાવે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy