SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] [ જાણ્યું અને જોયું એમ આવનારને ચા આપી દઈએ અને આપણે તેની સાથે ચા ન લઈએ તે વિવેક વિનય ભંગ થાય એવો ટે ભ્રમ હું સેવત. માણસને સૌથી વધુ પ્રમાણમાં કોઈ છેતરતું હોય તો અન્ય કોઈ નહિ પણ તેનું પિતાનું મન જ છે. વિવેક અને વિનયના ખાટાં એઠાં નીચે મારું મન પણ મને છેતરતું. ભૂતકાળની એ વાત યાદ કરું છું ત્યારે આજે તે સ્પષ્ટ જોઈ શકું છું કે મને ચાની વારંવાર જે તલપ થતી, તેની તૃપ્તિ કરવા વિવેક વિનયના બહાના નીચે મારી પાસે આવનારાઓ માટે હું અચૂક ચા મગાવતો, અને એ રીતે આવનારની નહીં પણ મારી પિતાની જ ચાની તલપ તૃપ્ત કરતા. ફિસમાં જ એ દિવસેમાં હું ઓછામાં ઓછા પાંચ સાત કપ ચા પીતો. પણ દૂધ ન લેવાનો સંકલ્પ કર્યો હતો એટલે ચા પી. શકો નહિ. મારા એક મિત્ર ડૉકટરે દૂધ વિનાની ચામાં લીંબુ નીચોવી પીવાને માર્ગ બતાવ્યું, પણ તેથી ચાની મારી ઈચ્છા તૃત ન થતી. આ પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટે છેવટે શંખેશ્વરજી જઈ આવવાનો નિશ્ચય કર્યો. તા. ૧૩-૯-પર ના દિવસે જ્યારે કંપનીના કેઈક કામ માટે પાટડી દરબાર સાહેબને મળવા આબુ ગયે, ત્યારે ત્યાંથી પાછા ફરતાં મહેસાણા ઉતરી ગયે અને હારીજ રાતે અગિયાર વાગે પહોંચ્યું. હારીજ પહેલી જ વખત જવાનો એ પ્રસંગ. રાતે ધર્મશાળામાં સૂઈ રહ્યો અને વહેલી સવારમાં ઉઠી ઉપાશ્રયમાં તે વખતે ત્યાં બીરાજતા શ્રી. મહેદ્રવિજય મુનિરાજને મળવા ગયે. ચોમાસાના ચારેક માસ દરમ્યાન વિરમગામથી કે હારીજથી શંખેશ્વરજી જવાની બસ તે વખતે બંધ રહેતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy