SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯૪ ] [ જાણ્યું અને જોયું લાંબા સમયથી બીમાર હતા તેવી માહિતી મળવા છતાં, તેને લગતે કઈ સંતોષકારક કે મજબૂત પુરાવા ન મળી શક્યો. વિમા માટે કરેલી અરજીમાં વારસદાર તરીકે મરનારની પત્નીનું નામ હતું. માણસ ઠીકઠીક પૈસાદાર હતો અને તેને પિતાની માલિકીનું મકાન પણ હતું. આમ છતાં બાલકીષ્ણનની તપાસમાં એક બીજી મહત્ત્વની વાત જડી આવી. મરનાર ગુરુસ્વામી તેની છેલ્લી માંદગીમાં તેને ઘેરે ન રહેતાં તેની રખાત એક મીના નામની સ્ત્રીને ત્યાં રહેતા અને તેને જ ત્યાં મૃત્યુ પામેલે. મરનારે તામિલ ભાષામાં પિતાનું વીલ કરેલું અને તેમાં આ વિમાની પિલીસીની રકમ મીનાને મળે તેનો ઉલ્લેખ હતો. મને આ વીલની સત્યતા માટે શંકા હતી, પણ તેમ છતાં એક સાધન તરીકે તેનો ઉપયોગ આ કેસની પતાવટમાં થઈ શકે એવું લાગ્યું. મરનારની પત્ની તરફે મદુરાના વકીલ મી. નાગાસ્વામી કામ કરતા હતા. હું તેમને મળવા ગયે અને પિલીસી લીધા પછી ત્રણ જ માસમાં મૃત્યુ થયું છે, એટલે મરનારે વિમે લીધે ત્યારે તેની તબિયતની સાચી હકીકત છુપાવી રાખી લાગે છે અને તેથી ભરેલી તમામ રકમ પાછી લઈ આ કેસમાં સમાધાન કરાવી અપાવવા મેં તેમને સમજાવ્યું. મી. નાનાસ્વામીએ આ કેસની સચ્ચાઈ અંગે એક મહત્ત્વની વાત કહી. તેણે કહ્યું કે મરનાર જે લાંબા સમયથી બીમાર રહેતો હોત અને તેનો ઈરાદો કંપનીને છેતરવાને જ હોત, તો તેણે વિમાની અરજી પાસ થયા બાદ તરત જ પ્રિમિયમની રકમને તફાવત ભરી આપ્યા હતા. અહીં તો ચાર માસ મોડી રકમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy