SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ હકીકત જણાવી છે એ ઉપરથી સમજી શકાશે. ભાઈશ્રી મેઘાણીએ જણાવ્યું છે કે – “શ્રી. ધૂમકેતુના પિતાને પંચ્યાશી વર્ષની વયે, પૂર્ણ વાનપ્રસ્થાવસ્થામાં દેહ પડ્યો. એને ખરખરે જતાં ધૂમકેતુએ ફક્ત આટલી જ એક ઘટના કહી – “હેમચંદ્રનું પુસ્તક લખતે હતો. એ પૂરું થવા આવેલું, ને એમાં હેમચંદ્ર પિતાના મૃત્યુનું ભાવિ છ મહિના અગાઉ ભાખ્યાની વાત લખતાં મેં નીચે ટિપ્પણ કરેલું કે મોટા પુરુષોને મહિમા વધારવા આવી વાતો ચાલતી હશે. તે પછી મારા પિતાની માંદગીના ખબર મળ્યા, ગાંડળ ગયે, ખબર પડી કે એમણે પિતાનું મૃત્યુ બરાબર પંદર દિવસ પર ભાખ્યું હતું, દવા-ઉપચારની ના કહી દીધી હતી, સૌને મળવા બેલાવી લીધા હતા; ને પછી ભાખેલ દિવસે એમણે મારા હાથનું પાણી પીધું, પીને પડખું ફેરવી ગયા, ફરી એ જાગ્યા નહિ. મેં ગાંડળથી પાછા આવીને “હેમચંદ્ર'નાં કંપોઝ થઈ ગયેલાં પ્રફેમાંથી પેલી મારી ટિપ્પણ – ટીકા કાઢી નાખી. ખરખરાના જવાબમાં આથી કશું જ વધુ શ્રી ધૂમકેતુ બોલ્યા નથી.” આ ઉપરથી સૌને ખાતરી થશે, કે જગતના સનાતન સત્યને રજૂ કરવાની જે અનિવાર્ય જવાબદારી સાહિત્યસર્જકને માથે રહેલી છે, એનું સંપૂર્ણ ભાન ભાઈ શ્રી. ધૂમકેતુને હાઈ પિતાની કોઈ પણ માન્યતા પ્રત્યે તેઓ આગ્રહી નથી. આ સ્થિતિમાં રહી લખાયેલ પ્રસ્તુત છવનચરિત્રને વાંચનારાઓ એ જ વસ્તુને ધ્યાનમાં રાખી એનો સ્વાધ્યાય કરે અને આપણું સાહિત્યસર્જકે, કવિઓ અને ગ્રંથલેખકે ભાઈ શ્રી ધૂમકેતુની માફક સનાતન સત્યને રજૂ કરનારા બને એટલું ઈછી વિરમું છું. –મુનિ પુણ્યવિજય પાટણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy